AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : લીડ્સ ટેસ્ટના 6 સ્ટાર ખેલાડીઓ બહાર, ટીમ ઈન્ડિયા કેવી રીતે જીતશે મેચ?

જ્યારે છેલ્લીવાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં ટેસ્ટ મેચ રમાઈ હતી, ત્યારે ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 76 રનથી પરાજય થયો હતો. હવે ફરી એકવાર લીડ્સમાં ટેસ્ટ મેચ રમાવાની છે. મોટી વાત એ છે કે છેલ્લી વખત લીડ્સમાં રમનારા ભારતના 6 સ્ટાર ખેલાડીઓ હવે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી.

IND vs ENG : લીડ્સ ટેસ્ટના 6 સ્ટાર ખેલાડીઓ બહાર, ટીમ ઈન્ડિયા કેવી રીતે જીતશે મેચ?
Team IndiaImage Credit source: Getty Images
| Updated on: Jun 19, 2025 | 6:23 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ લીડ્સમાં રમાશે જ્યાં ટીમ ઈન્ડિયા 2021માં રમી હતી. આ મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. હવે ફરી એકવાર ટીમ ઈન્ડિયા લીડ્સના મેદાનમાં ઉતરશે જ્યાં ટીમને જીતની આશા છે, પરંતુ અહીં મોટી વાત એ છે કે છેલ્લી વખત લીડ્સમાં રમનાર ટીમના 6 ખેલાડીઓ હવે ટીમમાં નથી.

4 સ્ટાર બેટ્સમેનો ટીમની બહાર

છેલ્લી વખત રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે જેવા બેટ્સમેન લીડ્સ ટેસ્ટમાં રમ્યા હતા પરંતુ આ વખતે આ ચાર સ્ટાર ખેલાડીઓ ટીમમાં નથી. પૂજારા, રહાણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને વિરાટ કોહલી-રોહિત શર્મા ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પહેલા અચાનક નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

વિરાટ-રોહિત રહ્યા હતા ફ્લોપ

તમને જણાવી દઈએ કે છેલ્લી વખત રોહિત અને વિરાટ લીડ્સ ટેસ્ટમાં રમ્યા હતા, ત્યારે બંને કંઈ ખાસ કરી શક્યા ન હતા. રોહિત શર્માએ પહેલી ઈનિંગમાં 105 બોલમાં 19 રન અને બીજી ઈનિંગમાં 59 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી પહેલી ઈનિંગમાં 7 રન અને બીજી ઈનિંગમાં 55 રન બનાવીને આઉટ થયો હતો.

બે ફાસ્ટ બોલરોની પસંદગી નહીં

આપણે બેટ્સમેન વિશે વાત કરી છે. હવે બોલરો પર નજર કરીએ. તમને જણાવી દઈએ કે છેલ્લી લીડ્સ ટેસ્ટમાં બે ફાસ્ટ બોલરો ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી રમ્યા હતા. પરંતુ તે બંને ટીમ ઈન્ડિયાની બહાર છે. ઈશાંત શર્મા લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે જ્યારે મોહમ્મદ શમીને ખરાબ ફિટનેસને કારણે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.

ટીમમાં અનુભવનો અભાવ

હવે પ્રશ્ન એ છે કે આ 6 દિગ્ગજો વિના ટીમ ઈન્ડિયા લીડ્સમાં કેવી રીતે ટકી શકશે. ટીમ ઈન્ડિયા પાસે પ્રતિભાની કમી નથી. કેપ્ટન શુભમન ગિલ હવે વિરાટ કોહલીના નંબર પર રમશે. બીજી તરફ, કેએલ રાહુલ અને જયસ્વાલ બંને ઓપનિંગ કરતા જોવા મળશે. બુમરાહ, સિરાજ ઉપરાંત, બોલિંગની જવાબદારી પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુરના હાથમાં રહેશે. એકંદરે, ટીમ હજુ પણ મજબૂત છે પરંતુ અનુભવનો અભાવ છે.

આ પણ વાંચો: IND vs ENG : પહેલી ટેસ્ટમાં નહીં રમે આ સ્ટાર ખેલાડી? ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 અંગે આવ્યા ચોંકાવનારા સમાચાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
g clip-path="url(#clip0_868_265)">