AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાન ક્રિકેટરોના મોત પર ICC અને BCCI થયું ગુસ્સે, હવે પાકિસ્તાન સામે થશે કાર્યવાહી !

શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો માર્યા ગયા હતા. તેઓ અન્ય સાથી ખેલાડીઓ સાથે મેચ રમીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલો કર્યો હતો. ICC અને BCCIએ પાકિસ્તાનના પગલાંની સખત નિંદા કરી છે.

અફઘાન ક્રિકેટરોના મોત પર ICC અને BCCI થયું ગુસ્સે, હવે પાકિસ્તાન સામે થશે કાર્યવાહી !
Jay Shah & BCCIImage Credit source: PTI
| Updated on: Oct 18, 2025 | 8:42 PM
Share

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષમાં ત્રણ યુવા ક્રિકેટરોના મોતથી બધાને આઘાત લાગ્યો છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અફઘાન ક્લબના ત્રણ ક્રિકેટરો માર્યા ગયા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો હતો. આ ઘટના બાદ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામેની T20 શ્રેણીમાં રમવાનો ઈનકાર કર્યો હતો.

BCCI અફઘાનિસ્તાનના સમર્થનમાં

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે અફઘાનિસ્તાનના સમર્થનમાં બહાર આવ્યું છે, પાકિસ્તાનના પગલાંની સખત નિંદા કરી છે, તેને કાયરતાપૂર્ણ ગણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યક્ષ જય શાહે પણ આ ક્રિકેટરોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને હુમલાની નિંદા કરી છે.

પાકિસ્તાની હુમલામાં અફઘાન ક્રિકેટરોની મોત

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. દરમિયાન, 17 ઓક્ટોબર, શુક્રવારની રાત્રે, પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો. બધી હદ પાર કરીને, પાકિસ્તાની વાયુસેનાએ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં કેટલાક ક્લબ ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલામાં સ્થાનિક ક્લબના ત્રણ યુવા ખેલાડીઓ – કરીબ આગા, હારૂન અને સિબઘાતુલ્લાહ – માર્યા ગયા હતા, જ્યારે ઘણા અન્ય ઘાયલ થયા હતા.

જય શાહે દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતને આઘાત પહોંચાડ્યો છે, અને ક્રિકેટરોની હત્યા કરવા બદલ પાકિસ્તાનની વ્યાપક ટીકા થઈ રહી છે. પહેલીવાર, ICC એ આ ઘટના પર નિવેદન બહાર પાડ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ICC ના અધ્યક્ષ જય શાહે પાકિસ્તાનનું નામ લીધા વિના, તેના કાર્યોને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યા. શાહે લખ્યું, “ત્રણ અફઘાન ક્રિકેટરો: કબીર આગા, સિબઘાતુલ્લાહ અને હારૂન, જેમના સપના અર્થહીન હિંસાને કારણે અધૂરા રહી ગયા, તેમના મૃત્યુથી હું ખૂબ જ દુઃખી છું. આવા પ્રતિભાશાળી ખેલાડીઓની હત્યા માત્ર અફઘાનિસ્તાન ક્રિકેટ માટે જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગત માટે એક દુર્ઘટના છે. આ દુર્ઘટનાના સમયમાં આપણે બધા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ઉભા છીએ.”

આ પણ વાંચો: IND vs AUS: ‘હું ખચકાટ નહીં અનુભવું’… કેપ્ટન શુભમન ગિલે વિરાટ અને રોહિત વિશે આવું કેમ કહ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">