અફઘાન ક્રિકેટરોના મોત પર ICC અને BCCI થયું ગુસ્સે, હવે પાકિસ્તાન સામે થશે કાર્યવાહી !
શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો માર્યા ગયા હતા. તેઓ અન્ય સાથી ખેલાડીઓ સાથે મેચ રમીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલો કર્યો હતો. ICC અને BCCIએ પાકિસ્તાનના પગલાંની સખત નિંદા કરી છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષમાં ત્રણ યુવા ક્રિકેટરોના મોતથી બધાને આઘાત લાગ્યો છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અફઘાન ક્લબના ત્રણ ક્રિકેટરો માર્યા ગયા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધ્યો હતો. આ ઘટના બાદ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સામેની T20 શ્રેણીમાં રમવાનો ઈનકાર કર્યો હતો.
BCCI અફઘાનિસ્તાનના સમર્થનમાં
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે અફઘાનિસ્તાનના સમર્થનમાં બહાર આવ્યું છે, પાકિસ્તાનના પગલાંની સખત નિંદા કરી છે, તેને કાયરતાપૂર્ણ ગણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના અધ્યક્ષ જય શાહે પણ આ ક્રિકેટરોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને હુમલાની નિંદા કરી છે.
BCCI condoles the tragic loss of Afghan cricketers
Details
— BCCI (@BCCI) October 18, 2025
પાકિસ્તાની હુમલામાં અફઘાન ક્રિકેટરોની મોત
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. દરમિયાન, 17 ઓક્ટોબર, શુક્રવારની રાત્રે, પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો. બધી હદ પાર કરીને, પાકિસ્તાની વાયુસેનાએ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં કેટલાક ક્લબ ક્રિકેટરોનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલામાં સ્થાનિક ક્લબના ત્રણ યુવા ખેલાડીઓ – કરીબ આગા, હારૂન અને સિબઘાતુલ્લાહ – માર્યા ગયા હતા, જ્યારે ઘણા અન્ય ઘાયલ થયા હતા.
Deeply saddened by the loss of three young Afghan cricketers, Kabeer Agha, Sibghatullah, and Haroon, whose dreams were cut short by a senseless act of violence. The loss of such promising talent is a tragedy not just for Afghanistan but for the entire cricketing world. We stand…
— Jay Shah (@JayShah) October 18, 2025
જય શાહે દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતને આઘાત પહોંચાડ્યો છે, અને ક્રિકેટરોની હત્યા કરવા બદલ પાકિસ્તાનની વ્યાપક ટીકા થઈ રહી છે. પહેલીવાર, ICC એ આ ઘટના પર નિવેદન બહાર પાડ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ICC ના અધ્યક્ષ જય શાહે પાકિસ્તાનનું નામ લીધા વિના, તેના કાર્યોને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યા. શાહે લખ્યું, “ત્રણ અફઘાન ક્રિકેટરો: કબીર આગા, સિબઘાતુલ્લાહ અને હારૂન, જેમના સપના અર્થહીન હિંસાને કારણે અધૂરા રહી ગયા, તેમના મૃત્યુથી હું ખૂબ જ દુઃખી છું. આવા પ્રતિભાશાળી ખેલાડીઓની હત્યા માત્ર અફઘાનિસ્તાન ક્રિકેટ માટે જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગત માટે એક દુર્ઘટના છે. આ દુર્ઘટનાના સમયમાં આપણે બધા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ઉભા છીએ.”
આ પણ વાંચો: IND vs AUS: ‘હું ખચકાટ નહીં અનુભવું’… કેપ્ટન શુભમન ગિલે વિરાટ અને રોહિત વિશે આવું કેમ કહ્યું?
