AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાડેજાની વિકેટ પર વિવાદ, શું અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો, જાણો શું છે સત્ય

હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રવીન્દ્ર જાડેજાના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. આ ભારતીય ઓલરાઉન્ડર 87 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજા તેની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી માત્ર 13 રનથી ચૂકી ગયો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે તેની વિકેટને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

જાડેજાની વિકેટ પર વિવાદ, શું અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો, જાણો શું છે સત્ય
Ravindra Jadeja
| Updated on: Jan 27, 2024 | 1:50 PM
Share

હૈદરાબાદ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ સાથે જે થયું, એવી જ સ્થિતિ રવીન્દ્ર જાડેજાની થઈ. યશસ્વી અને રાહુલની જેમ રવીન્દ્ર જાડેજા પણ હૈદરાબાદ ટેસ્ટમાં સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. જોકે, રવીન્દ્ર જાડેજાએ જે રીતે આઉટ આપવામાં આવ્યો તેને લઈ હવે નવો વિવાદ શરૂ થઈ ગયો છે.

રવીન્દ્ર જાડેજા સાથે ખોટું થયું!

રવીન્દ્ર જાડેજાની વિકેટ શા માટે વિવાદાસ્પદ હતી તે તમે આગળ જાણશો પણ પહેલા સમજો કે તેને કેવી રીતે આઉટ જાહેર કરવામાં આવ્યો. રવીન્દ્ર જાડેજાએ રૂટના બોલ પર ફ્રન્ટ ફૂટ ડિફેન્સ કર્યું અને આ દરમિયાન બોલ તેના પેડ સાથે અથડાયો. અમ્પાયરે તેને આઉટ આપ્યો. આ પછી રવીન્દ્ર જાડેજાએ તરત જ રિવ્યુ લીધો હતો.

થર્ડ અમ્પાયરે જાડેજાને આઉટ જાહેર કર્યો

રિપ્લેમાં જોવા મળ્યું હતું કે બોલ તેના બેટ સાથે અથડાઈને પેડ સાથે અથડાયો હતો. આ જ કારણ છે કે રવીન્દ્ર  જાડેજાએ તરત જ ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો. આ પછી થર્ડ અમ્પાયરે તેની પાસે ઉપલબ્ધ તમામ તકનીકોનો ઉપયોગ કર્યો. થર્ડ અમ્પાયર એ જાણી શક્યા નહોતા કે બોલ રવીન્દ્ર જાડેજાના પેડમાં વાગ્યો હતો કે બેટમાં. લાંબા સમય સુધી રિપ્લે ચાલુ રહ્યો અને પછી રવીન્દ્ર જાડેજાને આઉટ આપવામાં આવ્યો.

જાડેજાને શા માટે આઉટ આપવામાં આવ્યો?

સવાલ એ છે કે જ્યારે ત્રીજા અમ્પાયરને ખબર ન હતી કે બોલ રવીન્દ્ર જાડેજાના બેટ કે પેડમાંથી કોને પહેલા અથડાયો હતો તો પછી તેને આઉટ કેવી રીતે આપવામાં આવ્યો? તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં ઘણીવાર થર્ડ અમ્પાયર મેદાન પરના અમ્પાયરની તરફેણમાં નિર્ણય આપી દે છે. ઓન ફિલ્ડ અમ્પાયરે રવીન્દ્ર જાડેજાને આઉટ આપ્યો હતો અને તેથી જ થર્ડ અમ્પાયરે પણ જાડેજાને આઉટ આપ્યો.

આ પણ વાંચો : વેઈટર માતા અને રસોઈયા પિતાના પુત્રએ વર્લ્ડ નંબર 1 ખેલાડીને હરાવી મચાવી ધમાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">