Breaking News: ચેન્નાઈ સુપર કિંગ્સને હાર્દિક પંડ્યાની જરૂર નથી? CSK એ સ્પષ્ટ કરી દીધું!
IPL 2026 સિઝનના અંત પછી હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સ છોડવાના અહેવાલો ફરતા થયા હતા. જે બાદ છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક માટે CSK ટ્રેડ કરવા તૈયાર હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે હાર્દિકના CSK માં ટ્રેડ અંગે CSK ના CEO એ મોટો ખુલાસો કર્યો છે, જે બાદ એવું લાગી રહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સને હાર્દિક પંડ્યાની જરૂર નથી.

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે ક્રિકેટમાંથી બહાર છે. તે ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસમાં ગયો નથી. તેમ છતાં તે સમાચારમાં છે. તાજેતરના એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે તે મુંબઈથી બેંગલુરુ સ્થળાંતરિત થઈ ગયો છે. તાજેતરના સમાચાર તેના IPL ભવિષ્યને લગતા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત લીગની ટીમો તેને ટ્રેડ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે CSK એ આવી કોઈપણ અટકળોને નકારી કાઢીને જંગલની આગની જેમ ફેલાતા સમાચાર પર વિરામ મૂક્યો છે.
હાર્દિક માટે 7 ટીમો રેસમાં
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે સતત ત્રણ સિઝન નિષ્ફળ રહ્યા બાદ, હાર્દિક પંડ્યા ફ્રેન્ચાઈઝ છોડી દેશે તેવી અટકળો જોરશોરથી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે હાર્દિક આગામી સિઝનમાં નવી ટીમમાં જોડાશે, પરંતુ તે કઈ ટીમમાં જોડાશે તે સ્પષ્ટ નથી. IPL ટ્રેડિંગ વિન્ડો ખુલી ત્યારથી આ ચર્ચા પહેલાથી જ વધુ તીવ્ર બની ગઈ છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્દિક માટે સાત ટીમો રેસમાં છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ભૂતપૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ રેસમાં આગળ છે.
CSK CEO Kasi Viswanath dismisses Hardik Pandya rumours #CSK #HardikPandya #IPL #Insidesport #CricketTwitter pic.twitter.com/xdKTgGd7Zl
— InsideSport (@InsideSportIND) July 1, 2026
હાર્દિકના ટ્રેડ પર CSK એ શું કહ્યું?
પરંતુ આ અહેવાલો સામે આવ્યાના થોડા કલાકો પછી, ચેન્નાઈ સુપર કિંગ્સે બધા દાવાઓને ફગાવી દીધા હતા. ફ્રેન્ચાઈઝના CEO કાસી વિશ્વનાથન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે CSKએ હાર્દિક પંડ્યા અંગે કોઈ ચર્ચા કરી નથી અને ટીમ પાસે હાલમાં આવી કોઈ યોજના નથી. વિશ્વનાથને ઉમેર્યું, “CSK એ હજુ સુધી તેની IPL સિઝનની સમીક્ષા કરી નથી અને MLC સીઝન સમાપ્ત થયા પછી જ તે કરશે. અમે કોઈની સાથે વાત કરી નથી, અને હાર્દિક અને CSK વિશે જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે સાચું નથી.”
શું CSK ખરેખર રસ ધરાવતું નથી?
CSK એ આ ટ્રેડ અંગે કોઈપણ ચર્ચાનો સત્તાવાર રીતે ઈનકાર કર્યો છે. જોકે, ટીમો સામાન્ય રીતે બધા મુદ્દાઓનું સમાધાન ન થાય ત્યાં સુધી આવા સોદાઓનો જાહેરમાં ઈનકાર કરે છે. ટ્રેડિંગ વિન્ડો IPL હરાજી પહેલા એક અઠવાડિયા સુધી ખુલ્લી રહેશે. હરાજી સામાન્ય રીતે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં થાય છે, પરંતુ BCCI એ હજુ સુધી તારીખ નક્કી કરી નથી. પરિણામે, આગામી ચારથી પાંચ મહિનામાં ઘણું બદલાઈ શકે છે.
