AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અક્ષર પટેલને BCCIનો આ નિયમ નથી પસંદ, IPL 2026 પહેલા નારાજગી વ્યક્ત કરી

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન અક્ષર પટેલ સતત બીજી સિઝનમાં ટીમનું નેતૃત્વ કરશે. પરંતુ આ સિઝનમાં પણ, તે IPLના એક નિયમથી નાખુશ છે જેના પર વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજો દ્વારા પહેલાથી જ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જાણો કયો છે આ નિયમ.

Breaking News: અક્ષર પટેલને BCCIનો આ નિયમ નથી પસંદ, IPL 2026 પહેલા નારાજગી વ્યક્ત કરી
Axar PatelImage Credit source: PTI/X
| Updated on: Mar 23, 2026 | 5:24 PM
Share

સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ સતત બીજા વર્ષે દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. ગયા સિઝનમાં સારી શરૂઆત છતાં, દિલ્હી પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ ગયું. હવે, IPL 2026 માં, અક્ષર આ પ્રદર્શનમાં સુધારો કરીને ટીમને આગળ લઈ જવાની આશા રાખશે.

IPL 2026 પહેલા અક્ષર પટેલનું મોટું નિવેદન

જો કે, સિઝન શરૂ થાય તે પહેલાં, દિલ્હીના કેપ્ટને BCCI દ્વારા એક ચોક્કસ નિયમ પર સવાલ ઉઠાવ્યા છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે તેને આ નિયમ પસંદ નથી. આ નિયમ ઈમ્પેક્ટ પ્લેયર છે, જે ઓછામાં ઓછી આગામી સિઝન સુધી ચાલુ રહેશે.

ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી નારાજગી

IPLનો ઈમ્પેક્ટ પ્લેયર નિયમ છેલ્લા બે સિઝનથી અમલમાં છે અને આ સિઝનમાં પણ ચાલુ રહેશે. તેની શરૂઆતથી, જ્યાં એકતરફ IPLમાં મોટા સ્કોર જોવા મળ્યા, ત્યારે બીજી તરફ ઓલરાઉન્ડરોની ભૂમિકા ઓછી થઈ ગઈ, ટીમો તેમનો ઉપયોગ ઓછો કરી રહી છે. આ વાત ઓક્શનમાં પણ જોવા મળી છેલ્લા બે સિઝનમાં, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમો મોટાભાગે બેટ્સમેન અથવા બોલરને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારી રહી છે. આના કારણે ઓલરાઉન્ડરોનું મહત્વ ઘટી ગયું છે.

ઓલરાઉન્ડરોનું મહત્વ ઘટી ગયું

આ કારણે, આ નિયમ સતત સવાલોમાં રહ્યો છે, અને આ સિઝનમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. પોતે એક સ્ટાર ઓલરાઉન્ડર હોવાને કારણે પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, “મને આ નિયમ પસંદ નથી કારણ કે હું પોતે ઓલરાઉન્ડર છું. પહેલા, ઓલરાઉન્ડરોની પસંદગી કરવામાં આવતી હતી, પરંતુ આ નિયમને કારણે, ટીમ મેનેજમેન્ટ બેટ્સમેન અથવા બોલરની પસંદગી કરી રહ્યું છે.”

કોહલી-રોહિતને પણ નથી પસંદ આ નિયમ

અક્ષરે પણ આ અંગે પોતાની લાચારી વ્યક્ત કરતા કહ્યું, “હું પણ એક ઓલરાઉન્ડર છું, અને તેથી જ મને આ નિયમ ગમતો નથી. આપણે આપણા માટે જે નિયમો છે તેનું પાલન કરવું પડશે, પરંતુ વ્યક્તિગત રીતે, મને આ નિયમ ગમતો નથી.” ઈમ્પેક્ટ પ્લેયર નિયમ 2024 સિઝનમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી તે વિવાદોમાં ફસાયેલો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોએ પણ આ નિયમને અયોગ્ય ગણાવ્યો છે.

Breaking News: IPL જેવી નવી લીગની જાહેરાત, 6 ટીમો લેશે ભાગ, જાણો ક્યારે અને ક્યાં યોજાશે ટુર્નામેન્ટ

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">