AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પિતા સચિન તેંડુલકરના જન્મદિવસ પર પુત્ર અર્જુને કેક ન ખાધી, વીડિયોમાં જણાવ્યું કારણ

સચિન તેંડુલકરનો જન્મદિવસ ફક્ત તેના પરિવાર દ્વારા જ નહીં, પરંતુ દેશભરમાં માસ્ટર બ્લાસ્ટરના લાખો ચાહકો દ્વારા પણ ઉજવવામાં આવે છે. ઘણા ચાહકો કેક કાપીને એકબીજાને ખવડાવે છે. જોકે, સચિનનો પુત્ર અર્જુન તેનાથી દૂર રહે છે. જાણો કેમ.

Breaking News: પિતા સચિન તેંડુલકરના જન્મદિવસ પર પુત્ર અર્જુને કેક ન ખાધી, વીડિયોમાં જણાવ્યું કારણ
Arjun & Sachin Tendulkar (10)Image Credit source: X
| Updated on: Apr 24, 2026 | 3:11 PM
Share

24 એપ્રિલે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો જન્મદિવસ છે. આ દિવસ ફક્ત સચિન તેંડુલકર અને તેના પરિવાર દ્વારા જ નહીં, પરંતુ દેશભરના લાખો ક્રિકેટ ચાહકો દ્વારા ઉજવવામાં આવે છે. જન્મદિવસે સચિન તેના પરિવાર અને ટીમ સાથે કેક કાપે છે, ત્યારે તેના ઘણા ચાહકો પણ કેક કાપીને એકબીજાને ખવડાવતા હોય છે. પરંતુ બધાથી વિપરીત, સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર, તેના પિતાના જન્મદિવસ પર કેક નથી ખાતો, અને તેણે પોતે તેનું કારણ જણાવ્યું હતું.

અર્જુને સચિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

અર્જુન તેંડુલકર હાલમાં IPL 2026 માં વ્યસ્ત છે, તેથી તે સચિનના જન્મદિવસ પર તેના પરિવાર સાથે રહી શક્યો નહીં . તે હાલમાં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે છે અને હાલમાં તેની ટીમ સાથે પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. જોકે, લખનૌએ એક વીડિયો દ્વારા માસ્ટર બ્લાસ્ટરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, અને તેના પુત્ર અર્જુને ટીમ વતી તે કર્યું હતું. આ વીડિયોમાં, તેણે તેના પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

અર્જુને કેક કેમ ન ખાધી?

પરંતુ આ વીડિયોમાં એક વાતે બધાનું ધ્યાન ખેંચ્યું તે હતી નાની કેક, જેને અર્જુને ખાવાનો ઈનકાર કર્યો હતો. સચિનને ​​જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અર્જુને કહ્યું, “હું આ (કેક) નહીં ખાઉં કારણ કે હું મીઠાઈ વધારે ખાતો નથી. હું તમને જલ્દી મળીશ.” LSGના ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને સચિનને ​​જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.

IPL 2026 માં એક પણ મેચ નથી રમ્યો

અર્જુનની વાત કરીએ તો, ડાબોડી ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર અર્જુન આ સિઝનમાં એક પણ મેચ રમ્યો નથી. તે ગયા સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો, પરંતુ આ વખતે તેને લખનૌએ તેને ટ્રેડ કરી ₹30 લાખની બેઝ પ્રાઈસ પર ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, અર્જુન હજુ પણ તેની પહેલી તકની રાહ જોઈ રહ્યો છે. લખનૌની મજબૂત ફાસ્ટ બોલિંગને જોતાં, આ સિઝનમાં અર્જુનને તેની પ્રતિભા દર્શાવવાની તક મળે તેવી શક્યતા ઓછી છે.

Breaking News : યશસ્વી જયસ્વાલ અને અજિંક્ય રહાણેને નવી ટીમોએ ખરીદ્યા, IPL 2026 દરમિયાન મોટી જાહેરાત

Follow Us
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !
ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !
g clip-path="url(#clip0_868_265)">