AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : આ દિવસે નક્કી થશે એશિયા કપનું ભવિષ્ય, BCCI-PCB કરશે બેઠક!

એશિયા કપ 2025ના શેડ્યૂલ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI અને PCBના વરિષ્ઠ અધિકારીઓ આ ટુર્નામેન્ટના ભવિષ્ય અને ભારત-પાકિસ્તાન મેચ અંગે વાતચીત કરવા ICC એન્યુઅલ જનરલ મિટિંગમાં સત્તાવાર રીતે મળી શકે છે. જે બાદ આ ટુર્નામેન્ટના ભવિષ્ય અને બંને દેશો વચ્ચેની મેચ અંગે નિર્ણય લેવાશે.

Asia Cup 2025 : આ દિવસે નક્કી થશે એશિયા કપનું ભવિષ્ય, BCCI-PCB કરશે બેઠક!
Asia Cup 2025Image Credit source: Getty Images
| Updated on: Jul 16, 2025 | 9:40 PM
Share

બધા ચાહકો એશિયા કપ 2025 ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટ ક્યારે અને ક્યાં રમાશે તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી? જોકે, હવે આ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ICC એન્યુઅલ જનરલ મિટિંગ 17 થી 20 જુલાઈ દરમિયાન કોલંબોમાં યોજાવાની છે, જ્યાં BCCI અને PCBના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સત્તાવાર રીતે હાજરી આપશે. એશિયા કપના તમામ નિર્ણયો એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા લેવાના છે પરંતુ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સિઝનનો નિર્ણય BCCI અને PCB દ્વારા લેવામાં આવશે.

એશિયા કપ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

થોડા દિવસો પહેલા સુધી BCCIએ પુષ્ટિ કરી ન હતી કે ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે મેચ રમશે. વાસ્તવમાં બોર્ડ પોતે ભારત સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યું હતું, પરંતુ હવે સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જાહેરાત કરી છે કે ટીમ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે મેચ રમશે.

BCCI ઢાકામાં ACCની બેઠકમાં હાજરી આપશે

ભારતના સ્પોર્ટ્સ મંત્રીની આ જાહેરાત સાથે, એશિયા કપનું આયોજન કરતી સમિતિ એક મોટા નુકસાનમાંથી બચી ગઈ છે, જે અત્યાર સુધી ઘણા નાણાકીય દબાણ હેઠળ હતી. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચથી ACC સૌથી વધુ કમાણી કરશે. અહેવાલો અનુસાર, અગાઉ BCCIમાંથી કોઈ પણ 24 જુલાઈએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં યોજાનારી ACC બેઠકમાં હાજરી આપી રહ્યું ન હતું, પરંતુ હવે ભારત સરકારની પરવાનગી મળ્યા બાદ, એશિયા કપ અંગે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.

એશિયા કપની છેલ્લી સિઝનમાં ભારત ચેમ્પિયન

એશિયા કપની છેલ્લી સિઝન 2023માં રમાઈ હતી. 2023ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે જીત મેળવી હતી. ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકા 50 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી 6 વિકેટ જ્યારે હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 6.1 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો: સ્ટાર ભારતીય ખેલાડીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી, 32 વર્ષની ઉંમરે લીધો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">