Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિગ્ગજ ભારતીય ખેલાડીને જન્મદિવસના એક દિવસ પહેલા મળી સજા, BCCIએ લગાવી ફટકાર

ટીમ ઈન્ડિયાની કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌર, જે WPLમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરી રહી છે, તે 8 માર્ચ, શનિવારના રોજ પોતાનો 36મો જન્મદિવસ ઉજવશે. પરંતુ આ ખાસ દિવસ પહેલા, BCCIએ હરમનપ્રીત કૌરને દંડ ફટકાર્યો હતો.

દિગ્ગજ ભારતીય ખેલાડીને જન્મદિવસના એક દિવસ પહેલા મળી સજા, BCCIએ લગાવી ફટકાર
Harmanpreet KaurImage Credit source: PTI
Follow Us:
| Updated on: Mar 07, 2025 | 7:04 PM

ક્રિકેટ ચાહકો હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર નજર રાખી રહ્યા છે, જેની ફાઈનલ 9 માર્ચ, રવિવારના રોજ રમાશે. પરંતુ આ ઉપરાંત, ક્રિકેટનો ઉત્સાહ ચાલુ રહેશે, કારણ કે ભારતમાં મહિલા પ્રીમિયર લીગ (WPL) રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ પણ તેના અંતિમ તબક્કાની નજીક છે. પરંતુ ટુર્નામેન્ટની વચ્ચે, BCCIએ એક અનુભવી ભારતીય ખેલાડી સામે કાર્યવાહી કરી છે, તે પણ તેના જન્મદિવસના એક દિવસ પહેલા. આ ખેલાડી ભારતીય ટીમન કેપ્ટન હરમનપ્રીત કૌર છે, જે WPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની કરી રહી છે.

હરમનપ્રીતને બર્થડેના એક દિવસ પહેલા ઝટકો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌર 8 માર્ચ, શનિવારના રોજ પોતાનો 36મો જન્મદિવસ ઉજવશે. સ્વાભાવિક છે કે તે તેના જન્મદિવસ વિશે ખૂબ જ ઉત્સાહિત હશે અને ઉજવણી કરવા માટે તૈયાર હશે. પરંતુ તેમના જન્મદિવસની ઉજવણીના એક દિવસ પહેલા, એટલે કે શુક્રવાર, 7 માર્ચના રોજ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના પર કડક કાર્યવાહી કરી અને દંડ ફટકાર્યો.

AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી

WPL મેચમાં હરમનપ્રીતની થઈ લડાઈ

આનું કારણ WPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચ હતી. આ મેચ ગુરુવાર, 6 માર્ચે લખનૌમાં રમાઈ હતી, જેમાં મુંબઈએ આસાન વિજય નોંધાવ્યો હતો. પરંતુ આ મેચમાં, મુંબઈ જીતની નજીક હતું તે પહેલા કંઈક એવું બન્યું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ ઘટના યુપીની ઈનિંગની 19મી ઓવરમાં બની હતી, જ્યારે અમ્પાયરે હરમનપ્રીતને કહ્યું હતું કે તેની ટીમ સમયપત્રક કરતા પાછળ ચાલી રહી છે અને તેથી તેમને 30-યાર્ડ સર્કલની બહાર ફક્ત 3 ફિલ્ડરો રાખવાની મંજૂરી આપવામાં આવશે.

હરમનપ્રીત-સોફી વચ્ચે થઈ બોલાચાલી

મુંબઈની કેપ્ટનને આ નિર્ણય ગમ્યો નહીં અને તેણે અમ્પાયર સમક્ષ વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન, મુંબઈની બોલર અમેલિયા કર પણ આવી અને પોતાનો અભિપ્રાય આપવા લાગી. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે યુપીની બેટ્સમેન સોફી એક્લેસ્ટોન પણ ત્યાં પહોંચી ગઈ અને આ બાબતે અમ્પાયરને કંઈક કહેવા લાગી. પરંતુ હરમનપ્રીતને સોફીની દખલગીરી પસંદ ન આવી અને તેણે યુપીની ખેલાડીને કેટલીક વાતો સંભળાવી દીધી.

BCCIએ હરમનપ્રીત કૌર પર દંડ ફટકાર્યો

જોકે તે સમયે અમ્પાયરોએ આ મુદ્દો ઉકેલી નાખ્યો હતો, પરંતુ અમ્પાયરો અને મેચ રેફરીને મુંબઈના કેપ્ટનનું વર્તન પસંદ ન આવ્યું. હરમનપ્રીતનું વર્તન BCCI દ્વારા WPL માટે નિર્ધારિત આચારસંહિતા વિરુદ્ધ હોવાનું જણાયું હતું અને મેચ રેફરીએ મુંબઈના કેપ્ટનને તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકાર્યો હતો. જોકે, હરમનપ્રીત માટે રાહતની વાત એ હતી કે તેના પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી અને તે ટુર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પછી શ્રેયસ અય્યરને મળી શકે છે મોટું ઈનામ, BCCI કરશે મોટી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">