Breaking News : IPL 2025 પછી હવે આ મોટી ટુર્નામેન્ટ રદ, બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ મોટું નુકસાન થયું
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ છે. એટલા માટે આઈપીએલ 2025ને સ્થગિત કરી દેવામાં આવી છે. આઈપીએલ બાદ હવે આ વર્ષે રમાનાર એશિયા કપને પણ રદ્દ કરવામાં આવ્યો છે. બંન્ને દેશ વચ્ચે વધતા તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યોછે. આ ટૂર્નામેન્ટ સૌથી મોટી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ છે. એટલા માટે આઈપીએલ 2025ને સ્થગિત કરી દેવામાં આવી છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના આ નિર્ણય બાદ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રીપોર્ટ મુજબ આઈપીએલ બાદ હવે આ વર્ષે રમાનાર એશિયા કપને પણ રદ્દ કરવામાં આવ્યો છે. ટી20 વર્લ્ડકપ 2026ને ધ્યાનમાં રાખી આ ટૂર્નામેન્ટનું આયોજન ટી20 ફોર્મેટમાં થવાનું હતુ પરંતુ હવે ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈ આ ટૂર્નામેન્ટનું આયોજન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એશિયા કપ 2025ને રદ્દ
આનાથી પાકિસ્તાનની સાથે સાથે બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ મોટું નુકસાન થયું છે.ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. મિસાઈલ અને ડ્રોન દ્વારા બંન્ને દેશો વચ્ચે સતત હુમલા વધી રહ્યા છે. જેની અસર ક્રિકેટ પર પડી છે. સ્પોર્ટસ તકના રિપોર્ટ મુજબ એશિયા કપ 2025ને રદ્દ કરવામાં આવી છે. આ વર્ષે આ ટૂર્નામેન્ટ રમાશે નહી.આની ભારત પર કોઈ અસર થશે નહી. પરંતુ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમ પર આની મોટી અસર પડશે. ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશને મોટું નુકસાન થવાનું છે.
ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે
રિપોર્ટ મુજબ એશિયા કપ 2025 રદ કરવામાં આવ્યો છે. આ વર્ષે આ ટુર્નામેન્ટ રમાશે નહીં.2025નો મેન્સ એશિયા કપ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની 17મી સીઝન હતી. એશિયા કપનું આયોજન સપ્ટેમ્બર 2025માં કરવામાં આવ્યું હતુ પરંતુ , હવે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈ એશિયા કપ 2025ને રદ્દ કરવામાં આવ્યો છે. એશિયા કપમાં મેચો ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં રમાય છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.આ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પાંચ પૂર્ણ સભ્યો છે.
પહેલગામ હુમલા બાદ આ પગલાં લેવામાં આવ્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે બાઈલેટરલ ક્રિકેટ છેલ્લા 12 વર્ષથી બંધ છે. પરંતુ બંને ટીમો ICC અને ACC મેચોમાં રમી રહી છે. પરંતુ 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કડક પગલાં લીધાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે ICCને પત્ર લખીને કહ્યું હતું કે, ભારતીય ટીમને ભવિષ્યમાં કોઈપણ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ગ્રુપમાં ન રાખે.