WTC Final: એક સમયે સતત ગુસ્સામાં લાલચોળ રહેતા જસપ્રિત બુમરાહે જણાવ્યું કે આ કારણથી સફળ છુ
ભારતીય ક્રિકેટ ટીમ(Team India) ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) એ ખૂબ ઓછા સમયમાં પોતાનુ સ્થાન જમાવ્યુ હતુ. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બુમરાહે જબરદસ્ત સફળતા હાંસલ કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમ(Team India) ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) એ ખૂબ ઓછા સમયમાં પોતાનું સ્થાન જમાવ્યુ હતુ. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બુમરાહે જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. તેને વિશ્વના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલરોમાં ગણવામાં આવી રહ્યો છે. બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) ની એક ચેટમાં કહ્યુ કે, તેની સફળતા પાછળનુ રાઝ શુ છે.
ICC સાથે વાત કરતા બુમરાહે કહ્યુ, સામાન્ય રીતે જે હું કરવાની કોશિષ કરુ છું. તે પોતાના ગુસ્સાને યોગ્ય રીતે ઉપયોગ કરવાની છે. જ્યારે મે એક યુવાન રુપે શરુઆત કરી હતી, મને દરેક વાત પર ગુસ્સો આવી જતો હતો. એવામાં દરેક એવી ચીજ કરતો હતો, જેનાથી મારી રમતમાં કોઇ પણ પ્રકારનો કોઇ ફાયદો નહોતો થતો.
આગળ કહ્યુ હતુ, હવે આટલા વર્ષ મે ઘણી બધી આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. જેના બાદ મને એ બાબતોનો અહેસાસ થયો છે, કે મારા માટે કઇ બાબત કામ કરનારી અને કઇ બાબત નુકશાનકારક છે. તો હવે હું હસતો રહુ છું. જોકે મારા અંદર હંમેશા એક આગ સળગતી રહે છે. હું તે તમામ બાબતોને ક્યારેય દર્શાવવાની કોશિષ નથી કરતો. જોકે આ જ એક પ્રકાર છે જેના થી હું સફળતા હાંસલ કરુ છુ. આ પ્રકારે હું મારી આક્રમકતા પર નિયંત્રણ કરતા રમતને આગળ વધારવાની કોશિષ કરુ છું.
બુમરાહનુ ક્રિકેટ કરિયર
જસપ્રિત બુમરાહે 2016માં ઓસ્ટ્રેલીયા સામે વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય કરિયરની શરુઆત કરી હતી. એ જ મહિને ટી20 ક્રિકેટમાં પણ પદાર્પણ કર્યુ હતુ. બાદમાં 2018માં તણે ટેસ્ટ ક્રિકેટમાં શરુઆત કરી હતી. બુમરાહે 67 વન ડે મેચ રમીને 108 વિકેટ ઝડપી છે. જ્યારે 50 ટી20 મેચમાં 59 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત 19 ટેસ્ટ મેચમાં તેમે 83 વિકેટ ઝડપી છે.