દિલ્હીમાં સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પંસદગી પામ્યા બાદ PM મોદીએ સાંસદોને આપી આ સલાહ
દિલ્હી સંસદમાં NDAના સાસંદોની હાજરીમાં દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરાઈ છે. અમિત શાહે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેને તમામ નેતાઓ દ્વારા સર્વસંમતિતી સાથે મંજૂર કરવામાં આવ્યો હતો. નવા ચૂંટાયેલા સાંસદોને નરેન્દ્ર મોદીએ પહેલા દિવસે જ એક અપીલ કરી દીધી છે. NDAના નેતાઓને અપીલ કરતા કહ્યું કે, નેતાઓએ VIP કલ્ચરથી બચવું જોઈએ. […]
દિલ્હી સંસદમાં NDAના સાસંદોની હાજરીમાં દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરાઈ છે. અમિત શાહે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેને તમામ નેતાઓ દ્વારા સર્વસંમતિતી સાથે મંજૂર કરવામાં આવ્યો હતો. નવા ચૂંટાયેલા સાંસદોને નરેન્દ્ર મોદીએ પહેલા દિવસે જ એક અપીલ કરી દીધી છે. NDAના નેતાઓને અપીલ કરતા કહ્યું કે, નેતાઓએ VIP કલ્ચરથી બચવું જોઈએ. કારણ કે વીઆઈપી કલ્ચરથી દેશને ઘણી નફરત છે. આપણે સૌ આ દેશના નાગરિક છીએ તો લાઈનમાં ઉભા રહેવાના સમયે ઉભું પણ રહેવું જોઈએ. સાથે કહ્યું કે આપણે લોકોને ધ્યાનમાં રાખીને પોતાનામાં ફેરફાર કરવા જોઈએ.
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
સંસદીય દળના નેતા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદગી પછી ભાજપના નવા સાંસદોને આ વાતનું સૂચન કર્યું હતું. PM મોદીએ કહ્યું કે આપણો મોહ આપને મુશ્કેલીમાં મૂકે છે. આ માટે મારા નવા અને જૂના સાથીઓએ આ વાતનું ધ્યાન રાખવું પડશે. હવે જનતા આપને માફ નહીં કરે તે યાદ રાખવું જોઈએ. સંસદના સેન્ટ્રલ હોલમાં આશરે 75 મિનિટ સુધીના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીજીએ આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે ન તો કોઈ પોતાની જાતિથી ચૂંટાઈને આવે છે, ન તો મોદી કોઈને જીતાવે છે, જે જીતાડે છે તે તો જનતા છે.