
રિતિકા માટે IAS બનવાનો માર્ગ એટલો સરળ ન હતો કારણ કે, જ્યારે તે પહેલીવાર UPSC પરીક્ષાની તૈયારી કરી રહી હતી ત્યારે તેના પિતા જીભના કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. ક્યાંક ને ક્યાંક રિતિકાના અભ્યાસ પર પણ અસર પડી હતી. રિતિકા જ્યારે બીજી વખત પરીક્ષા આપવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેના પિતાને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું.

કોલેજ પુરી કર્યા બાદ તેણે પ્રથમ વખત યુપીએસસીની પરીક્ષા આપી. ત્રણેય સ્ટેજ ક્લિયર કર્યા પરંતુ અંતિમ યાદીમાં તે થોડા પોઈન્ટથી પાછળ રહી ગઈ. તેણે હાર ન માની અને ફરી એકવાર પરીક્ષા આપવાનું નક્કી કર્યું. રિતિકા જિંદાલે પ્રથમ પ્રયાસમાં નિષ્ફળતાનો સામનો કર્યા પછી સખત મહેનત કરી અને 2018 માં બીજી વખત યુપીએસસીની પરીક્ષા આપી.

છેવટે, રીતિકાએ CSE એટલે કે, સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 88મો રેન્ક મેળવીને IAS બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું. રિતિકા કહે છે કે, જ્યારે પણ જીવનમાં પડકારો આવે છે, ત્યારે તેનાથી ડરશો નહીં, ક્યારેય પીઠેહટ ના કરો.