ઔરંગાબાદ પાસે ઐતિહાસિક ઈલોરા ગુફાઓ અને બારમા જ્યોતિર્લિંગ ઘૃષ્ણેશ્વર મહાદેવ મંદિરથી એક કિલોમીટરના અંતરે દેશનું સૌથી મોટું શિવલિંગ આકારનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર વિશ્વકર્મા મંદિર પરિસરમાં બનાવવામાં આવ્યું છે.
મંદિરના ગર્ભગૃહમાં એક જ જગ્યાએ 12 જ્યોતિર્લિંગ સ્થાપિત કરવામાં આવ્યા છે. લગભગ 23 વર્ષથી ચાલી રહેલા આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે.
મંગળવારે મહાશિવરાત્રી નિમિત્તે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.સાથે જ વિશ્વકર્મા દેવસ્થાન ટ્રસ્ટના સદગુરુ શ્રી મહેન્દ્રબાપુ ઇલોદગઢના માર્ગદર્શન હેઠળ અહીં પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર,મહાશિવરાત્રીની સવારે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેથી ગુજરાત, મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શિવભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ હતુ.
આ મંદિરની ઊંચાઈ લગભગ 60 ફૂટ છે.આ ભવ્ય મંદિર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.