
સાડે સાતી એ એવો સમય છે જ્યારે કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ ચંદ્રની ઉપર, આસપાસ અથવા નીચે આવે છે. આ સમય વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ, તણાવ અને સંઘર્ષ લાવી શકે છે, જે ક્યારેક પીડાદાયક માનવામાં આવે છે. શનિની આ અસરથી બચવા ભક્તો હનુમાનજીની રોજ પૂજા કરવી જોઈએ

શનિની સાડાસાતીથી પીડિત લોકો હનુમાનજીની પૂજા કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે હનુમાનજીની કૃપાથી શનિની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

આ દરમિયાન રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાડાસાતીથી રાહત મળે છે અને શનિની નકારાત્મક અસર ઓછી થઈ શકે છે.

દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરવી. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાડાસાતીની અસર પણ દૂર થાય છે.

શનિદેવને પ્રસન્ન કરવા હોય તો શનિવારે તામસિક ભોજન ન કરવું. કોઈને દુઃખ ન આપવું. આ ઉપરાંત લોખંડ, ચામડું, કે ચામડાના ચપ્પલ, લાકડાની વસ્તુઓ, મીઠું, સરસવનું તેલ વગેરે વસ્તુઓનું દાન કરો.