ભીમ અગિયારસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને રંગબેરંગી ફૂલોની પાંદડીના વાઘા અને મોગરાના ફૂલોનો દિવ્ય શણગાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે દાદાને ભીમ અગિયારસ નિમિત્તે મોગરા અને ગુલાબ સહિતના ફૂલનો દિવ્ય શણગાર કરાયો છે.
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી કરવામાં આવ્યા
મંદિરના પટાંગણમાં શ્રી મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું,જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.
ભીમ અગિયારસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુરધામ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું, લોકોએ ભાવભેર દાદાના દર્શનનો લહાવો લીધો હતો