
આ બિમારીની ઓળખ સરળતાથી થઈ શકે છે.જો પેટની આસપાસ કોઈ ગાંઠ કે પછી નાભિને સ્પર્શ કરતી વખતે ગાંઠ લાગે, તો તે હર્નિયા (સારણગાંઠ) હોઈ શકે છે. બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓને પણ સારણગાંઠની સમસ્યા વધી જાય છે. આ બિમારીના શરુઆતના લક્ષણો પર ધ્યાન આપવું જરુરી છે.

સારણગાંઠના કિસ્સામાં મળમાં મુશ્કેલી પડે છે. પેટમાં અને છીંકતી વખતે પણ દુખાવો થાય છે. આવી સ્થિતિમાં, જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ. જો આ સમસ્યા પ્રેગ્નેન્સી દરમિયાન અથવા પછી થાય છે, તો તેની સમયસર સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ ન કરવાથી પાછળથી સમસ્યા વધી શકે છે.

આ બિમારીની સારવાર પેટ પર બેલ્ટ પહેરી થઈ શકે છે. જો આનાથી આરામ ન મળે તો પછી સર્જરી કરવામાં આવે છે. સર્જરી કરી સારણગાંઠને દુર કરી શકાય છે. આજકાલ આ પ્રકિયા ખુબ સરળ થઈ ગઈ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)