આજે મંગળવાર 25 માર્ચે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાની કિંમત તેના સર્વોચ્ચ સ્તરથી નોંધપાત્ર રીતે નીચે આવી ગઈ છે અને સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,700 રૂપિયાની આસપાસ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 82,100 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
મંગળવાર, 25 માર્ચ, 2025 ના રોજ, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 82,290 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 89,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. તે જ સમયે, મુંબઈમાં 22 કેરેટ સોનું 82,140 રૂપિયા અને 24 કેરેટ સોનું 89,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. આજે દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને ગઈકાલની સરખામણીમાં સોનું રૂ.200 સસ્તું થયું છે.
જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 89,660 રુપિયા પર પહોચ્યોં છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 82,190ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
25 માર્ચ, 2025ના રોજ ચાંદીનો ભાવ 1,00,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણોમાં વૈશ્વિક બજારોમાં નબળાઈ, ડોલરમાં મજબૂતી અને રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ છે. જ્યારે યુએસ ડોલર મજબૂત થાય છે, ત્યારે સોનાની કિંમતો પર દબાણ વધે છે, કારણ કે મોંઘા ડોલરને કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે સોનું ખરીદવું મોંઘું થઈ જાય છે, જેના કારણે તેની માંગમાં ઘટાડો થાય છે.
ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો, સરકાર દ્વારા લાદવામાં આવેલ કર અને રૂપિયાના વિનિમય દરમાં વધઘટ જોવા મળે છે.
સોનું માત્ર રોકાણનું માધ્યમ નથી, પરંતુ તે આપણી સાંસ્કૃતિક પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં સોનાની માંગ વધે છે.