
25 માર્ચ, 2025ના રોજ ચાંદીનો ભાવ 1,00,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણોમાં વૈશ્વિક બજારોમાં નબળાઈ, ડોલરમાં મજબૂતી અને રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ છે. જ્યારે યુએસ ડોલર મજબૂત થાય છે, ત્યારે સોનાની કિંમતો પર દબાણ વધે છે, કારણ કે મોંઘા ડોલરને કારણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે સોનું ખરીદવું મોંઘું થઈ જાય છે, જેના કારણે તેની માંગમાં ઘટાડો થાય છે.

ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો, સરકાર દ્વારા લાદવામાં આવેલ કર અને રૂપિયાના વિનિમય દરમાં વધઘટ જોવા મળે છે.

સોનું માત્ર રોકાણનું માધ્યમ નથી, પરંતુ તે આપણી સાંસ્કૃતિક પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં સોનાની માંગ વધે છે.