
24 માર્ચ, 2025ના રોજ ચાંદીનો ભાવ 1,00,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ગયા શુક્રવારે ચાંદીનો ભાવ 1,05,100 રૂપિયા હતો. ગયા શુક્રવારની સરખામણીમાં ચાંદીના ભાવમાં આશરે રૂ. 4000નો સુધારો જોવા મળ્યો છે.

સોનાના ભાવમાં ઘટાડો થવાના મુખ્ય કારણો વૈશ્વિક બજારોમાં નબળાઈ, ડૉલરની મજબૂતી અને પ્રોફિટ બુકિંગ છે. જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે સોનાના ભાવ પર દબાણ વધે છે, કારણ કે મોંઘા ડોલરને કારણે રોકાણકારો સોનામાં રસ ગુમાવે છે. આ સિવાય યુએસ ફેડરલ રિઝર્વ ચીફ જેરોમ પોવેલના નિવેદનની પણ અસર પડી હતી, જેમાં તેમણે અમેરિકામાં મોંઘવારી વધવાની વાત કરી હતી.

ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.