Ganesh Utsav 2023: અમદાવાદમાં 1 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની માટીની મૂર્તિઓ થાય છે તૈયાર, જુઓ PHOTOS

|

Sep 13, 2023 | 10:30 PM

પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવતી ગણેશજીની મૂર્તિને જ્યારે વિસર્જિત કરવામાં આવે ત્યારે તે પાણીમાં ન ઓગળતા પાણી પ્રદૂષણની સમસ્યા થાય છે. જોકે આ વાતને લઈ સરકાર દ્વારા આ અંગે કેટલાક નિયમો લાદવામાં આવ્યા છે. જે બાદ પરંપરાગત માટી માંથી બનેલી ગણેશની મૂર્તિનું સ્થાપન લોકો કરતા થયા છે.

1 / 7
વિક્રમ સંવત ભાદરવા સુદ 4 ના રોજ ગણેશ ચતુર્થી અથવા તો ગણેશ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. જે વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. શિવપુરાણ અનુસાર માતા પાર્વતિ દ્વારા ગણેશજીનું સર્જન કરવામાં આવ્યું હતું.

વિક્રમ સંવત ભાદરવા સુદ 4 ના રોજ ગણેશ ચતુર્થી અથવા તો ગણેશ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. જે વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. શિવપુરાણ અનુસાર માતા પાર્વતિ દ્વારા ગણેશજીનું સર્જન કરવામાં આવ્યું હતું.

2 / 7
આ તહેવારની શરૂઆત સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં 1989માં થઈ હતી.  ત્યારબાદ  ભારતના  સ્વાતંત્ર્ય સંગ્રમમાં બાળ ગંગાધર તિલક  દ્વારા ગણેશ ઉત્સવને સામુહિક રીતે ઉજવવાની પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી. ગણેશોત્સવ 11 દિવસ ઉજવાતો ભક્તિમય તહેવાર છે.

આ તહેવારની શરૂઆત સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં 1989માં થઈ હતી. ત્યારબાદ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રમમાં બાળ ગંગાધર તિલક દ્વારા ગણેશ ઉત્સવને સામુહિક રીતે ઉજવવાની પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી. ગણેશોત્સવ 11 દિવસ ઉજવાતો ભક્તિમય તહેવાર છે.

3 / 7
પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવતી ગણેશજીની મૂર્તિને જ્યારે વિસર્જિત કરવામાં આવે ત્યારે તે પાણીમાં ન ઓગળતા પાણી પ્રદૂષણની સમસ્યા થાય છે. જેથી હવે લોકોમાં જાગૃતિ આવતા પરંપરાગત માટી માંથી બનેલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન લોકો કરતા થયા છે.

પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવવામાં આવતી ગણેશજીની મૂર્તિને જ્યારે વિસર્જિત કરવામાં આવે ત્યારે તે પાણીમાં ન ઓગળતા પાણી પ્રદૂષણની સમસ્યા થાય છે. જેથી હવે લોકોમાં જાગૃતિ આવતા પરંપરાગત માટી માંથી બનેલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન લોકો કરતા થયા છે.

4 / 7
ગણેશજીની મૂર્તિ બનાવવા માટે જે માટી વપરાય છે તે માટે મોટેભાગે સમગ્ર ગુજરાતમાં ભાવનગરમાંથી મંગાવવામાં આવે છે. આ માટે આ માટીને સળંગ ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે. જેથી તે મૂર્તિ બનાવવા લાયક થઈ જાય છે.

ગણેશજીની મૂર્તિ બનાવવા માટે જે માટી વપરાય છે તે માટે મોટેભાગે સમગ્ર ગુજરાતમાં ભાવનગરમાંથી મંગાવવામાં આવે છે. આ માટે આ માટીને સળંગ ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે. જેથી તે મૂર્તિ બનાવવા લાયક થઈ જાય છે.

5 / 7
ત્રણ દિવસ બાદ કારીગરો દ્વારા આ માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવે છે. આ મૂર્તિ ઘણીવાર હાથથી અથવા તો મોલ્ડ દ્વારા પણ તૈયાર કરવામાં આવે છે. અમદાવાદમાં આ મૂર્તિ 6 ઇંચ થી લઈને 15 ફૂટ સુધીની ઊંચાઈની બનાવવામાં આવે છે.

ત્રણ દિવસ બાદ કારીગરો દ્વારા આ માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવે છે. આ મૂર્તિ ઘણીવાર હાથથી અથવા તો મોલ્ડ દ્વારા પણ તૈયાર કરવામાં આવે છે. અમદાવાદમાં આ મૂર્તિ 6 ઇંચ થી લઈને 15 ફૂટ સુધીની ઊંચાઈની બનાવવામાં આવે છે.

6 / 7
માટીની મૂર્તિ તૈયાર થઈ ગયા બાદ કારીગરો દ્વારા તેને કલર કરવામાં આવે છે. ઘણા લોકોને કલર પસંદ ન પડતા તેઓ આભૂષણો દ્વારા અને કપડાંથી મૂર્તિઓને શણગાર કરીને તૈયાર કરે છે. જેમ કે ગણપતિને મુગટ, બાજુબંધ, ધોતી, જ્વેલેરી વગેરે આભૂષણો પહેરાવવામાં આવે છે.

માટીની મૂર્તિ તૈયાર થઈ ગયા બાદ કારીગરો દ્વારા તેને કલર કરવામાં આવે છે. ઘણા લોકોને કલર પસંદ ન પડતા તેઓ આભૂષણો દ્વારા અને કપડાંથી મૂર્તિઓને શણગાર કરીને તૈયાર કરે છે. જેમ કે ગણપતિને મુગટ, બાજુબંધ, ધોતી, જ્વેલેરી વગેરે આભૂષણો પહેરાવવામાં આવે છે.

7 / 7
અમદાવાદમાં ગણેશજીની મૂર્તિઓની કિંમત તેમાં વપરાતી માટી અને તેના આકાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આશરે 1000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની માટીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે.

અમદાવાદમાં ગણેશજીની મૂર્તિઓની કિંમત તેમાં વપરાતી માટી અને તેના આકાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આશરે 1000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની માટીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે.

Next Photo Gallery