ભારતની ડિપ્લોમસી માટે આ સમય સૌથી જોખમી, ગ્લોબલ સાઉથનું નેતૃત્વ સાચવવું કે ચીનની છત્રછાયા સ્વીકારવી? એક્સપર્ટની ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ઈને જે નિર્ણય લીઝા છે તેમા ભારતને એ વિચારવા પર મજબુર કરી દીધુ છે કે માત્ર અમેરિકા પર નિર્ભર રહેવુ સમજદારી છે? ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ રશિયાના પ્રવાસ દરમિયાન એજ કહ્યુ હતુ જે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાનના આર્થિક સંકટોએ આપણને શીખવ્યુ છે. પહેલો બોધપાઠ વિશ્વાસપાત્ર ભાગીદારોની કિંમત કરવાનો છે.

ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસી ભારત માટે એક ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ છે. આ વર્ષે જાન્યુઆરી સુધી તો, ભારતની ડિપ્લોમસીની ચારેતરફ પ્રશંસા થઈ રહી હતી, પરંતુ હવે તે પ્રશ્નોના દાવાનળમાં ફસાઈ ગઈ છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો છે અને વ્યૂહાત્મક ભાગીદારી જોખમમાં છે. ટ્રમ્પના સલાહકાર પીટર નાવારો કહે છે કે ‘જો ભારત સ્ટ્રેટેજિક પાર્ટનર રહેવા માંગે છે, તો તેણે તે મુજબ વર્તન કરવું પડશે.’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, વિદેશ સચિવ માર્કો રુબિયો અને ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટ સહિતના તમામ ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. અમેરિકા ભારતને ખાસ ભાગીદાર તરીકે નહીં, પરંતુ એક દુશ્મન બજાર તરીકે જોઈ રહ્યું છે. એટલે કે, એક જ ઝાટકે, ક્વાડની સાથોસાથ 25 વર્ષથી સતત મજબૂત થતી ભાગીદારી જોખમમાં આવી ગઈ છે. નિષ્ણાતો સ્પષ્ટપણે કહી...
