Sero Surveyમાં સામે આવ્યા સારા સમાચાર,દેશની કુલ વસ્તીના 67.6 ટકા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી હોવાનું તારણ

દેશમાં એક તરફ ત્રીજી લહેરના એંધાણ વર્તાઈ રહ્યા છે તેની વચ્ચે સિરો સર્વક્ષણ દ્વારા સામે આવ્યું છે કે,ભારતમાં કુલ વસ્તીના બે-તૃતીયાંશ અથવા 67.6 ટકા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી હોવાનું સામે આવ્યું છે.

Sero Surveyમાં સામે આવ્યા સારા સમાચાર,દેશની કુલ વસ્તીના 67.6 ટકા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી હોવાનું તારણ
Sero Survey: According to the fourth sero survey, 67.6 per cent of people in India have herd immunity
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 10:44 AM

કેન્દ્ર સરકારે(Central government) જણાવ્યું હતું કે, દેશવ્યાપી કરવામાં આવેલા ચોથા સિરો સર્વમાં (Sero Survey)સામે આવ્યું છે કે, ભારતની કુલ વસ્તીનાં બે-તૃતીયાંશ અથવા 67.6 ટકા લોકોમાં હર્ડ ઈમ્યુનિટી (Herd Immunity) અને જે SARS-CoV 2 એન્ટિબોડીઝ ધરાવે છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે (Indian Council of Medical Reserch) દ્વારા જુન-જુલાઈમાં કરવામાં આવેલા ચોથા સિરો સર્વનાં તારણો રજુ કર્યા હતા. ICMRના ડો.બલરામ ભાર્ગવે (Balram bhargav) આ તારણો આપતા ચેતવણી આપી હતી કે, કોરોના સામેની લડાઈ માટે આમાંથી કોઈ ગર્વની બાબત લીધા વગર કોરોના સામેની લડાઈ લડવાની છે.

ચોથો સીરો સર્વેક્ષણનું તારણ

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કોરોનાવાયરસ અંગે 21 રાજ્યોના 70 જિલ્લાઓમાં આ સર્વ હાથ ધરવામાં આવ્યો હતો.જેમાંથી ત્રણ સર્વ બાદ જુન-જુલાઈ મહિનામાં ચોથા સર્વની(Fourth Sero Survey) કામગિરી હાથ ધરવામાં આવી હતી.આ ચોથા સીરો સર્વમાં તારણ સામે આવ્યું છે કે,ભારતની કુલ વસ્તીના બે-તૃતીયાંશ અથવા 67.6 ટકા લોકોમાં SARS-CoV 2 નામના એન્ટિબોડીઝ (Antibodies) છે જે કોરોના સંક્મણ સામે રક્ષણ આપે છે.જ્યારે આ સર્વમાં એ પણ દર્શાવે છે કે,40 કરોડ લોકો પર હજુ પણ કોરોના સંક્રમણનો ખતરો તોળાઈ રહ્યો છે.

આ ચોથા સીરો સર્વેક્ષણમાં 28,975 સામાન્ય લોકો અને 7,252 આરોગ્ય કર્મચારીઓને(Health Employe) આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વમાં દર્શાવવામાં આવ્યું છે કે, સર્વેક્ષણ કરેલા આરોગ્ય કર્મચારીઓ પૈકી 85 ટકા કર્મચારીઓમાં SARS-CoV 2 એન્ટિબોડીઝ છે.પરંતુ હજુ પણ કોરોના સામનો ખતરો મંડરાયેલો હોવાનું તારણમાં સામે આવ્યું છે.

કોરોના સામેની લડાઈ હજુ પણ યથાવત

SARS-CoV 2 એન્ટિબોડીઝને કારણે લોકોને કોરોના સંક્રમણની સામે રક્ષણ મળે છે જેથી આવી એન્ટિબોડીઝ ધરાવતી વ્યક્તિને કોરોના ચેપ લાગવાની શક્યતા ઓછી રહેલી છે.જો કે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, હજુ પણ 40 કરોડ લોકો પર કોરોનાનો ખતરો મંડારાયેલો છે જેથી કોરોના સામેની લડાઈ હજુ પણ યથાવત છે.

નીતી આયોગના (Niti Aayog) સભ્ય ડો.વી કે પૌલે (V K Paul) ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે,” ભારતે હજી સુધી કોરોના સામે રક્ષણ મેળવવા માટે એન્ટિબોડીઝ પ્રાપ્ત કરી છે પરંતુ ,કોરોનાના ખતરાને નકારી શકાય નહિ.” વધુમાં જણાવ્યુ હતુ કે કોરોના પ્રોટોકોલનું (Corona Protocol) પાલન કરીને આપણે જરૂરથી સુરક્ષિત થઈ શકીએ છીએ. ઉપરાંત નોંધ્યું હતુ કે 50 ટકા લોકોએ ફુલી વેક્સિનેટ(Vaccinate) થઈ ચુક્યા છે જેથી કોરોનાની ત્રીજી લહેરમાં (Third Wave) સંક્રમણનું પ્રમાણ ઓછુ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો: Corona Vaccination: ગુજરાતમાં કોરોનાની રસી લેનારા લોકોની સંખ્યા વધી, વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

આ પણ વાંચો: સ્કૂલ ખોલવાની શરૂઆત પ્રાથમિક શાળાઓથી કરવી એ સમજદારી ભર્યું પગલું: ICMR પ્રમુખ

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">