Corona Vaccination: ગુજરાતમાં કોરોનાની રસી લેનારા લોકોની સંખ્યા વધી, વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 47 ટકા એટલે કે 2,31,30,913 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ(First Dose Of  Vaccine) આપી દેવાયો છે.

Corona Vaccination: ગુજરાતમાં કોરોનાની રસી લેનારા લોકોની સંખ્યા વધી, વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 11:05 PM

કોરોના(corona) મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેક્સિનેશન (Vaccination)ની રાજ્યવ્યાપી સઘન કામગીરી  ચાલી રહી છે. ત્યારે 20મી જુલાઈ-2021 સુધીમાં રાજ્યમાં 47 ટકા લોકોને વેક્સિનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. 52 મિલિયન વેક્સિનેશન સાથે ગુજરાત(Gujarat) સમગ્ર દેશમાં અગ્રેસર છે.

ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 47 ટકા એટલે કે 2,31,30,913 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ(First Dose Of  Vaccine) આપી દેવાયો છે. એટલું જ નહીં, 70,16,083 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મુખ્યમંત્રી(CM) વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેક્સિનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમિક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં 20મી જૂલાઈના દિવસે 4,12,499  લોકોને કોરોના રસીકરણથી સાંકળી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ લોકોને કોરોના વેક્સિનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે 20મી જુલાઈ સુધીમાં 3,01,46,996 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. ગુજરાતમાં 20મી જુલાઈ સુધીમાં જે 2,31,30,913 લોકોને પ્રથમ ડોઝ અપાયો છે, તેમાં 19,64,948 હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર, 45થી વધુ વયના 1,16,37,087 તેમજ 18 થી 44 વયજૂથના 95,28,878 લોકોનો સમાવેશ થાય છે.

રાજ્યના આઠ મહાનગરોમાં રસી લેવાની પાત્રતા ધરાવતા 1,09,99,642 વ્યક્તિ સામે 74,76,174 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 21,89,607 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપી દેવાયો છે. આમ સમગ્ર રાજ્યના 8 મહાનગરોમાં કુલ 96,65,781 રસીના ડોઝ આપવામાં આવ્યા છે અને 68% શહેરીજનોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

રસીકરણને લઈને દેશના લોકોમાં કંઈકને કંઈક માન્યતાઓ પ્રવર્તી રહી છે, ત્યારે ગુજરાતમાં સરકાર તેમજ આરોગ્યકર્મીઓ લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવામાં સફળ થયા છે અને ગુજરાતે રસીકરણમાં ડંકો વગાડ્યો છે. કોરોનાની ત્રીજી લહેરનાં ભણકારા સંભળાઈ રહ્યાં છે, ત્યારે રસીકરણ જ એક માત્ર બચવા માટેનો ઉપાય છે. રસીકરણ માટે રહેલી લોકોની ઉદાસીનતાને દુર કરવા સરકારે ઘણાં પગલાઓ લીધા હતા. સરકારના પ્રયત્નો સફળ રહ્યા અને રસીકરણ કેન્દ્ર પર જઈને લોકો રસી મુકાવા લાગ્યા અને ગુજરાત રસીકરણમાં પ્રથમ હરોળમાં પહોચ્યું.

આ પણ વાંચોCBSE Board Result 2021: સીબીએસઈ એ જાહેર કરી ડેડલાઈન, હવે આ દિવસે આવી શકે છે 10-12નુ પરિણામ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">