પાકિસ્તાનથી આવેલા 63 હિંદુ બંગાળી પરિવારને યુપીમાં જમીન મળશે, સરકાર ઘર બનાવવા માટે આર્થિક મદદ પણ કરશે
વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાનથી યુપીના કાનપુરમાં 63 હિંદુ બંગાળી પરિવારો આવ્યા હતા. જ્યાં કામ કરતા હતા તે મીલ બંધ જતા 63 હિન્દુ બંગાળી પરિવારો સામે આજીવિકાનું સંકટ ઉભુ થયું હતું.
વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાન(Pakistan)થી યુપીના કાનપુર આવેલા 63 હિંદુ(Hindu) બંગાળી પરિવારોનું UP સરકાર પુનર્વસન(Rehabilitation) કરશે. તેમને ખેતી માટે બે એકર અને ઘર બનાવવા માટે 200 ચોરસ મીટર જમીન આપવામાં આવશે. ઘર બનાવવા માટે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી નાણાં આપવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Aditya Nath) બુધવારે કેબિનેટ દ્વારા પરિપત્ર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
મીલ બંધ થતા રોજગારીનું સંકટ હતુ વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાનમાંથી 65 બંગાળી પરિવાર ઉત્તર પ્રદેશમાં આવ્યા હતા. તે સમયે આ પરિવારોને મદન કોટન મીલમાં રોજગારી આપીને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. જોકે આ મિલ 8 ઓગસ્ટ 1984ના રોજ બંધ થઈ ગઈ હતી. જેના કારણે હિંદુ બંગાળી પરિવારો સામે આજીવિકાનું સંકટ ઉભુ થયું હતું. આ પરિવારો છેલ્લા 30 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા હતા.
સરકાર કરશે મદદ પૂર્વ પાકિસ્તાનથી ઉત્તર પ્રદેશમાં આવેલા 63 હિંદુ બંગાળી પરિવારોનું રાજ્ય સરકાર પુનર્વસન કરશે. તેમને ખેતી માટે બે એકર અને કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં ઘર બનાવવા માટે 200 ચોરસ મીટર જમીન આપવામાં આવશે. મકાનોના નિર્માણ માટે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી 1.20 લાખ રૂપિયા પણ આપવામાં આવશે.
121.41 હેક્ટર જમીન પર પુનર્વસન યોજનાને મંજૂરી
સરકારે કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં 121.41 હેક્ટર જમીન પર તેમના માટે પુનર્વસન યોજનાને મંજૂરી આપી છે. આ જમીનમાં મનરેગા હેઠળ જમીન સુધારણા અને સિંચાઈની સુવિધા વિકસાવવામાં આવશે, જેથી તેઓને સારી સુવિધા મળી શકે. આ પરિવારોને ખેતી અને મકાનો બાંધવા માટે 1 રૂપિયામાં 30 વર્ષ માટે લીઝ પર જમીન આપવામાં આવશે. આ લીઝ 30-30 વર્ષ એટલે કે કુલ 90 વર્ષ માટે વધુમાં વધુ બે વખત રિન્યુ કરી શકાય છે.
અધિક મુખ્ય સચિવ મહેસૂલ મનોજ કુમાર સિંહ ટૂંક સમયમાં જમીન જોવા જશે અને પુનર્વસન સંબંધિત માહિતી લેશે. વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલા પરિવારોના પુનર્વસન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,091 કેસ નોંધાયા, રિકવરી રેટ 98.25 ટકા