Visakhapatnam: વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, એક કોચનો કાચ તુટ્યો

DRM અનૂપે કહ્યું કે વિશાખાપટ્ટનમના કાંચરાપલેમની પાસે વંદ ભારત એક્સપ્રેસના એક કોચનો કાચ તુટી ગયો. આજે સાંજે લગભગ 6 વાગ્યે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનથી કોચિંગ કોમ્પલેક્ષ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી દીધો.

Visakhapatnam: વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, એક કોચનો કાચ તુટ્યો
Vande Bharat ExpressImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 11:29 PM

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેત્તરમાં પશ્ચિમ બંગાળમાં ટ્રેન પર પથ્થરમારાની ઘણી ઘટનાઓ સામે આવી. હવે આંધ્રપ્રદેશમાં ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ટ્રેનના કોચ પર પથ્થર ફેંકવામાં આવ્યા. આ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી 19 જાન્યુઆરીએ કરવાના છે. પથ્થરમારો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ટ્રાયલ રન પુર્ણ થયા બાદ ટ્રેન વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનથી મરીપાલેમમાં કોચ મેઈનટેનન્સ સેન્ટર પર જઈ રહી હતી. આ ઘટનામાં એક કોચનો કાચ તુટી ગયો છે.

DRM અનૂપે કહ્યું કે વિશાખાપટ્ટનમના કાંચરાપલેમની પાસે વંદ ભારત એક્સપ્રેસના એક કોચનો કાચ તુટી ગયો. આજે સાંજે લગભગ 6 વાગ્યે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનથી કોચિંગ કોમ્પલેક્ષ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી દીધો. આરપીએફે કેસ દાખલ કરી લીધો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

9 દિવસમાં 4 વખત ટ્રેન પર પથ્થરમારો

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ 30 ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાવડા સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારાની ઘણી ઘટના સામે આવી. 9 દિવસમાં 4 વખત ટ્રેન પર પથ્થરમારો થયો. વડાપ્રધાન મોદી 19 જાન્યુઆરીએ તેલંગાણાનો પ્રવાસ કરશે અને હૈદરાબાદ તથા વિશાખાપટ્ટનમની વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી દેશને સમર્પિત કરશે. વડાપ્રધાન મોદી સિકંદરાબાદ રેલવે સ્ટેશનથી સવારે 10 વાગ્યે દેશની 8મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે.

અન્ય વિકાસના કામો માટે વડાપ્રધાન કરશે ભૂમિ પૂજન

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીના કાર્યાલયે આપેલી માહિતી મુજબ ટ્રેનને લીલી ઝંડી દેખાડ્યા બાદ વડાપ્રધાન 699 કરોડ રૂપિયાના ખર્ચના સિકંદરાબાદ રેલવે સ્ટેશનના વિકાસ કામ માટે ભૂમિ પૂજન કરશે. તે સિકંદરાબાદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણની આધારશિલા રાખશે. તેમાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. સિકંદરાબાદ-મહબૂબનગર રેલ્વે લાઈનના ડબલિંગનું કામ પણ શરૂ કરવામાં આવશે. જેમાં 1,231 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">