AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યા બાદ પ્રશાંત કિશોરના સુર બદલાયા, કહ્યું ‘કોંગ્રેસને કોઈ PK ની જરૂર નથી, પાર્ટી સક્ષમ છે’

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) કહ્યું કે તેઓ પાર્ટીમાં કોઈ ભૂમિકા ઈચ્છતા નથી, પરંતુ તેઓ ઈચ્છે છે કે એક વખત ભવિષ્ય માટેની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ જાય તે પછી પાર્ટી તેનો યોગ્ય રીતે અમલ કરે.

કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યા બાદ પ્રશાંત કિશોરના સુર બદલાયા, કહ્યું 'કોંગ્રેસને કોઈ PK ની જરૂર નથી, પાર્ટી સક્ષમ છે'
Prashant Kishor(File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 9:25 AM
Share

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) લઈને દરેક રાજકીય પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે. ભાજપના મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતની (Gujarat) મુલાકાત કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ કમર કસી રહી છે. પરંતુ હાલની સ્થિતિને જોઈએ તો કોંગ્રસની ‘એક સાંધે..ત્યાં તેર તુટે…’ જેવી સ્થિતિ છે. આ બધાની વચ્ચે પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ઈનકાર કરતા પાર્ટીની(Congress Party)  મુશ્કેલી વધી છે. જો કે કોંગ્રેસમાં જોડાવાનો ઈનકાર કર્યા બાદ પ્રશાંત કિશોરના (Prashant Kishor)  સુર બદલાયેલા જોવા મળી રહ્યા છે.

ઈન્ડિયા ટુડે વેબસાઈટ સાથેના એક વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, “કોંગ્રેસનું નેતૃત્વ અને હું પાર્ટીની ભાવિ યોજનાને લઈને ઘણી બાબતો પર સહમત છીએ, પરંતુ તેઓ પોતાની રીતે કરી શકે છે, તેમની પાસે ઘણા મોટા નેતાઓ છે. તેમને મારી જરૂર નથી. તેણે ઓફર કરી અને મેં ના કહ્યું.” વધુમાં તેમણે કહ્યું કે તેઓ પાર્ટીમાં કોઈ ભૂમિકા ઈચ્છતા નથી પરંતુ માત્ર એટલું જ ઈચ્છે છે કે એક વખત ભવિષ્ય માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ જાય પછી તેને લાગુ કરવામાં આવે.

PK તો ન જોડાયા પરંતુ પાર્ટીમાં આવ્યો આ બદલાવ

પ્રશાંત કિશોરે કહ્યું, હું તેમને જે કહેવા માંગતો હતો તે મેં કર્યું. 2014 પછી પહેલીવાર પાર્ટીએ તેના ભાવિની આટલી સંરચિત રીતે ચર્ચા કરી છે, પરંતુ મને એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ વિશે થોડી શંકા હતી, તેઓ ઈચ્છતા હતા કે હું તેનો એક ભાગ બનું, જે ફેરફારોને અમલમાં મૂકવાની જવાબદારી સંભાળશે. તમને જણાવી દઈએ કે, અગાઉ કોંગ્રેસે કહ્યું હતું કે તે એક વાઇબ્રન્ટ સંગઠન(Vibrant Organization)  છે અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કર્યા બાદ તેની બારીઓ અને દરવાજા સૂચનો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કરી હતી ઓફર

પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ પણ કહ્યું કે કિશોરે કોંગ્રેસના યજ્ઞમાં શા માટે ભાગ લેવાનો ઇનકાર કર્યો તે તેઓ પોતે જ સમજાવી શકે છે. પ્રશાંત કિશોરે મંગળવારે કોંગ્રેસમાં જોડાવાની પાર્ટી નેતૃત્વની ઓફરને ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે દેશની સૌથી જૂની પાર્ટીને જે માળખાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તેને દૂર કરવા માટે નેતૃત્વ અને સામૂહિક ઇચ્છાશક્તિ તેમના કરતાં વધુ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને કોંગ્રેસના પ્રિવિલેજ વર્કિંગ ગ્રુપ-2024નો ભાગ બનીને પાર્ટીમાં જોડાવાની ઓફર કરી હતી.

આ પણ વાંચોઃ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોને અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને સંબોધશે

આ પણ વાંચોઃ Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">