ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપમાં મંથન, વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને યોજાઈ બેઠક

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) શનિવારે ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન કર્યો હતો કે શું ગુજરાતમાં ચૂંટણી (Gujarat elections) જાહેર કરવા માટે આગામી સપ્તાહે રાજ્યની વિધાનસભા ભંગ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપમાં મંથન, વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને યોજાઈ બેઠક
PM Narendra Modi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 11:58 PM

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજાવાની છે અને ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીઓના ભાગરૂપે શનિવારે દીલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) નિવાસસ્થાને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના ઘણા નેતાઓ સાથે બેઠક થઈ હતી. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે ભાજપ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. આમ આદમી પાર્ટીએ બેઠકને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે શનિવારે ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન કર્યો હતો કે શું ગુજરાતમાં ચૂંટણી જાહેર કરવા માટે આગામી સપ્તાહે રાજ્યની વિધાનસભા ભંગ કરવામાં આવશે. એક ટ્વીટમાં, AAPના રાષ્ટ્રીય સંયોજકે પ્રશ્ન કર્યો કે શું ભાજપ તેમની પાર્ટીથી એટલી ડરી ગઈ છે કે તે રાજ્યમાં નિર્ધારિત સમય પહેલા ચૂંટણી યોજવાનું આયોજન કરી રહી છે. હિન્દીમાં એક ટ્વિટમાં કેજરીવાલે કહ્યું કે, શું બીજેપી આવતા અઠવાડિયે ગુજરાત વિધાનસભા ભંગ કરીને ગુજરાત ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહી છે? ‘આપ’ નો આટલો ડર ? અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ વચ્ચે મૈત્રીપૂર્ણ રમત ચાલતી હતી, આ વખતે AAP આવી છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

ભાજપ એક અઠવાડિયા કે દસ દિવસમાં વિધાનસભા ભંગ કરીને નવી ચૂંટણી કરાવવા માંગે છેઃ કેજરીવાલ

AAP ગુજરાતની તમામ બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે

ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી શાનદાર જીતના આધારે, આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યમાં પગ જમાવવાની આશામાં રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર લડવાની તૈયારી કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ હવેથી દર મહિને રાજ્યની મુલાકાત લેવાના છે. છેલ્લા બે અઠવાડિયામાં, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા અને અનુરાગ ઠાકુર સહિત ઓછામાં ઓછા ચાર કેન્દ્રીય પ્રધાનોએ જમીન પરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા ગુજરાતની મુલાકાત લીધી છે.

આ પણ વાંચો : Curfew In Khargone: 2 અને 3 મેના રોજ ખરગોનમાં સંપૂર્ણ કર્ફ્યુ રહેશે, ઈદની નમાજ ઘરે જ અદા કરવી પડશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">