AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navneet Rana: રાણા દંપતીની જામીન અરજી પર સોમવારે નિર્ણય આવશે, મુંબઈ સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ

મુંબઈ સેશન્સ કોર્ટમાં (Mumbai Sessions Court) આજે (શનિવાર, 30 એપ્રિલ) રાણા દંપતીની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ હતી. કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. હવે જામીન અંગેનો નિર્ણય સોમવારે આવશે.

Navneet Rana: રાણા દંપતીની જામીન અરજી પર સોમવારે નિર્ણય આવશે, મુંબઈ સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ
Navneet Rana & Ravi Rana (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 7:25 PM
Share

અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની જામીન અરજી પર આજે (શનિવાર, 30 એપ્રિલ) મુંબઈ સેશન્સ કોર્ટમાં (Mumbai Sessions Court) સુનાવણી પૂર્ણ થઈ હતી. મુંબઈ સેશન્સ કોર્ટે આજે રાણા દંપતિના જામીન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. જામીન અંગેનો નિર્ણય હવે સોમવારે આવશે. ત્યાં સુધી નવનીત રાણાને મુંબઈની ભાયખલા જેલમાં અને રવિ રાણાને નવી મુંબઈની તલોજા જેલમાં રહેવું પડશે. એડવોકેટ રિઝવાન મર્ચન્ટ અને અબદ પોંડાએ રાણા દંપતિ વતી દલીલો રજૂ કરી હતી, જ્યારે મુંબઈની ખાર પોલીસનું પ્રતિનિધિત્વ કરતા સરકારી વકીલ પ્રદીપ ઘરતે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. નવનીત રાણા અને તેના પતિ રવિ રાણા પર IPCની કલમ 124-A હેઠળ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વકિલે કરી આ દલીલ

રાણાના વકીલે સુનાવણી દરમિયાન કહ્યું કે આ કેસ ચર્ચા વગરનો છે. રાણા દંપતિ ચૂંટાયેલા નેતાઓ (સાંસદ અને ધારાસભ્ય) છે અને તેઓ ક્યાંય ભાગશે નહીં, તેથી તેમની સ્વતંત્રતા તેમની પાસેથી છીનવવી ન જોઈએ. બંનેને 8 વર્ષની પુત્રી છે. બંને પર કેટલીક શરતો લાદવામાં આવી શકે છે. પરંતુ તેમને મુક્ત કરવા જોઈએ. આ ઉપરાંત વકીલ દ્વારા અનેક પ્રકારની દલીલો પણ કરવામાં આવી હતી. રાણા દંપતી એકલા માતોશ્રી ગયા હોવાનું કહેવાય છે. તેની સાથે કોઈ કાર્યકર ન હતો. હિંસા કરવાનો કોઈ ઈરાદો નહોતો. આમ છતાં તેને સરકારનો વિરોધ ગણવામાં આવ્યો હતો. વાસ્તવમાં વિરોધ પ્રદર્શન સરકારના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અહીં રાજદ્રોહ જેવી કોઈ વાત નથી.

સરકાર દ્વારા જામીનનો વિરોધ

સરકારી વકીલ પ્રદીપ ઘરતે રાણા દંપતીના જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે મામલો એટલો સીધો અને સરળ નથી જેટલો કહેવામાં આવી રહ્યો છે. રાણા દંપતીનો હેતુ માત્ર હનુમાન ચાલીસા વાંચવાનો ન હતો. તેમનો હેતુ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડીને ઠાકરે સરકારને પડકાર આપવાનો હતો. રાણા દંપતી રાજ્યની મહા વિકાસ અઘાડી સરકારના અસ્તિત્વને પડકારવાનું કાવતરું ઘડી રહ્યા હતા. જ્યારે પોલીસે તેને કલમ 149 હેઠળ નોટિસ આપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેણે હનુમાન ચાલીસા વાંચવા માટે માતોશ્રીની બહાર જવાની જીદ કેમ કરી? કારણ કે તેઓ અરાજકતાની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો :  હિન્દુત્વનો મુદ્દો ટ્રેન્ડમાં અને નેતાઓની દોડ લાગી અયોધ્યા, આગળ રાજ અને પાછળ શિવસેના, મુંબઈ પછી ઔરંગાબાદ અને પછી અયોધ્યા

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">