AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navneet Rana: રાણા દંપતીની જામીન અરજી પર સોમવારે નિર્ણય આવશે, મુંબઈ સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ

મુંબઈ સેશન્સ કોર્ટમાં (Mumbai Sessions Court) આજે (શનિવાર, 30 એપ્રિલ) રાણા દંપતીની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ હતી. કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. હવે જામીન અંગેનો નિર્ણય સોમવારે આવશે.

Navneet Rana: રાણા દંપતીની જામીન અરજી પર સોમવારે નિર્ણય આવશે, મુંબઈ સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ
Navneet Rana & Ravi Rana (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 7:25 PM
Share

અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની જામીન અરજી પર આજે (શનિવાર, 30 એપ્રિલ) મુંબઈ સેશન્સ કોર્ટમાં (Mumbai Sessions Court) સુનાવણી પૂર્ણ થઈ હતી. મુંબઈ સેશન્સ કોર્ટે આજે રાણા દંપતિના જામીન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. જામીન અંગેનો નિર્ણય હવે સોમવારે આવશે. ત્યાં સુધી નવનીત રાણાને મુંબઈની ભાયખલા જેલમાં અને રવિ રાણાને નવી મુંબઈની તલોજા જેલમાં રહેવું પડશે. એડવોકેટ રિઝવાન મર્ચન્ટ અને અબદ પોંડાએ રાણા દંપતિ વતી દલીલો રજૂ કરી હતી, જ્યારે મુંબઈની ખાર પોલીસનું પ્રતિનિધિત્વ કરતા સરકારી વકીલ પ્રદીપ ઘરતે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. નવનીત રાણા અને તેના પતિ રવિ રાણા પર IPCની કલમ 124-A હેઠળ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વકિલે કરી આ દલીલ

રાણાના વકીલે સુનાવણી દરમિયાન કહ્યું કે આ કેસ ચર્ચા વગરનો છે. રાણા દંપતિ ચૂંટાયેલા નેતાઓ (સાંસદ અને ધારાસભ્ય) છે અને તેઓ ક્યાંય ભાગશે નહીં, તેથી તેમની સ્વતંત્રતા તેમની પાસેથી છીનવવી ન જોઈએ. બંનેને 8 વર્ષની પુત્રી છે. બંને પર કેટલીક શરતો લાદવામાં આવી શકે છે. પરંતુ તેમને મુક્ત કરવા જોઈએ. આ ઉપરાંત વકીલ દ્વારા અનેક પ્રકારની દલીલો પણ કરવામાં આવી હતી. રાણા દંપતી એકલા માતોશ્રી ગયા હોવાનું કહેવાય છે. તેની સાથે કોઈ કાર્યકર ન હતો. હિંસા કરવાનો કોઈ ઈરાદો નહોતો. આમ છતાં તેને સરકારનો વિરોધ ગણવામાં આવ્યો હતો. વાસ્તવમાં વિરોધ પ્રદર્શન સરકારના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અહીં રાજદ્રોહ જેવી કોઈ વાત નથી.

સરકાર દ્વારા જામીનનો વિરોધ

સરકારી વકીલ પ્રદીપ ઘરતે રાણા દંપતીના જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે મામલો એટલો સીધો અને સરળ નથી જેટલો કહેવામાં આવી રહ્યો છે. રાણા દંપતીનો હેતુ માત્ર હનુમાન ચાલીસા વાંચવાનો ન હતો. તેમનો હેતુ કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડીને ઠાકરે સરકારને પડકાર આપવાનો હતો. રાણા દંપતી રાજ્યની મહા વિકાસ અઘાડી સરકારના અસ્તિત્વને પડકારવાનું કાવતરું ઘડી રહ્યા હતા. જ્યારે પોલીસે તેને કલમ 149 હેઠળ નોટિસ આપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેણે હનુમાન ચાલીસા વાંચવા માટે માતોશ્રીની બહાર જવાની જીદ કેમ કરી? કારણ કે તેઓ અરાજકતાની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો :  હિન્દુત્વનો મુદ્દો ટ્રેન્ડમાં અને નેતાઓની દોડ લાગી અયોધ્યા, આગળ રાજ અને પાછળ શિવસેના, મુંબઈ પછી ઔરંગાબાદ અને પછી અયોધ્યા

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">