Parliament Latest Updates: લખીમપુર ખીરી હિંસા પર સંસદમાં હોબાળો થવાની સંભાવના, રાહુલ ગાંધીએ ચર્ચા માટે સ્થગિત પ્રસ્તાવ આપ્યો

લખીમપુર ખેરી હિંસા કેસને લઈને આજે લોકસભામાં હંગામો થઈ શકે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખીમપુર ખેરી ઘટનાને લઈને લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી

Parliament Latest Updates: લખીમપુર ખીરી હિંસા પર સંસદમાં હોબાળો થવાની સંભાવના, રાહુલ ગાંધીએ ચર્ચા માટે સ્થગિત પ્રસ્તાવ આપ્યો
rajya Sabha (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 11:38 AM

Parliament Latest Updates: રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ સ્થગિત કરી દેવામાં આવી છે. બુધવારે રાજ્યસભામાં 12 સાંસદોનું સસ્પેન્શન રદ કરવાની માંગને લઈને વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. તે જ સમયે, લખીમપુર ખેરી હિંસા કેસને લઈને આજે લોકસભામાં હંગામો થઈ શકે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખીમપુર ખેરી ઘટનાને લઈને લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી છે. 

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમે માંગ કરીશું કે સરકાર ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરે. સાથે જ તેમણે કહ્યું કે રાહુલ ગાંધી આજે ગૃહમાં આ વિષય પર વાત રાખવાનો પ્રયાસ કરશે. ટીએમસીના રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પણ નિયમ 267 હેઠળ લખીમપુર ખેરી કેસ પર ચર્ચાની માંગ કરી છે. એટલે કે આજે વિપક્ષ લખીમપુર ખેરી મુદ્દે ગૃહમાં હંગામો મચાવી શકે છે. 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે લોકશાહીમાં ચર્ચા અને અસંમતિના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે ટ્યુશન લેવાની જરૂર છે. તેમણે ટ્વિટ કર્યું, ‘લોકશાહીમાં ચર્ચા અને અસંમતિનું મહત્વ – મોદી સરકારને આ વિષય પર ટ્યુશનની જરૂર છે.’ 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રથમ દિવસથી ધરણાં

રાજ્યસભાના સસ્પેન્ડ કરાયેલા 12 સભ્યોના સમર્થનમાં કાઢવામાં આવનાર માર્ચમાં સામેલ થતા પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર આ આરોપ લગાવ્યો હતો. 29 નવેમ્બરથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોના 12 સભ્યોને રાજ્યસભામાં છેલ્લા ચોમાસુ સત્રમાં “અભદ્ર વર્તન” બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્શન બાદથી આ સાંસદો સંસદની કાર્યવાહી દરમિયાન સવારથી સાંજ સુધી સંસદ પરિસરમાં ધરણા કરી રહ્યા છે. 

રંજન ગોગોઈ વિરુદ્ધ ઘણા વિરોધ પક્ષો

ટીએમસી, કોંગ્રેસ, સીપીઆઈએમ બાદ હવે શિવસેના અને યુનિયન મુસ્લિમ લીગે પણ રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ આપ્યો છે. ગૃહમાં તેમની ભાગીદારી અંગે કરાયેલી ટીપ્પણી સામે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જસ્ટિસ રંજન ગોગોઈએ એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજ્યસભામાં તેમની ખૂબ ઓછી હાજરી અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર કહ્યું હતું કે, ‘જ્યારે પણ મને મન થશે ત્યારે હું રાજ્યસભામાં જઈશ. હું નોમિનેટેડ સભ્ય છું અને કોઈ પણ પક્ષ મને રાજ્યસભામાં જવા માટે દબાણ કરી શકે નહીં. 

વિપક્ષી દળોએ ગોગોઈના આ નિવેદનને ગૃહની અવમાનના ગણાવ્યું હતું અને નોટિસ જારી કરતી વખતે કહ્યું હતું કે આ નિવેદન ગૃહની પ્રતિષ્ઠાનું મહત્વ ઓછું કરે છે. વિપક્ષે કહ્યું કે, તેમની સામે વિશેષાધિકાર ભંગનો પણ કેસ છે. ગોગોઈએ કહ્યું હતું કે, ‘હું નામાંકિત સભ્ય છું, હું કોઈ પક્ષના વ્હીપ સાથે જોડાયેલો નથી. તેથી વ્હીપ મને લાગુ પડતો નથી. કોઈપણ રાજકીય પક્ષ મને ગૃહમાં આવવા દબાણ કરી શકે નહીં.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">