Budget Session: 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર, નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે

|

Jan 30, 2023 | 7:38 PM

સંસદનું બજેટ (Budget 2023) સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને સામાન્ય રજા સહિત 66 દિવસમાં 27 બેઠકો સાથે 6 એપ્રિલ સુધી ચાલશે. સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે તેનો બીજો તબક્કો 6 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે.

Budget Session: 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર, નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે
Nirmala Sitharaman - File Photo

Follow us on

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. બીજા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2023 રજૂ કરશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે તેની જાહેરાત કરી હતી. આ દરમિયાન 66 દિવસમાં કુલ 27 બેઠકો થશે. સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધિત કરશે. સંસદના બંને ગૃહોમાં આ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પ્રથમ સંબોધન હશે.

સંસદનું બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલશે

પ્રહલાદ જોશીએ ટ્વીટ કર્યું, સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને સામાન્ય રજા સહિત 66 દિવસમાં 27 બેઠકો સાથે 6 એપ્રિલ સુધી ચાલશે. અમૃતકાળ વચ્ચે રાષ્ટ્રપતિના અભિભાષણ, કેન્દ્રીય બજેટ અને અન્ય વસ્તુઓ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થવાની રાહ જોઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે તેનો બીજો તબક્કો 6 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

 

લોકોને બજેટ 2023 થી ઘણી અપેક્ષાઓ છે

આ સામાન્ય બજેટથી લોકો નોકરીથી લઈને બાળકોના શિક્ષણ અને હોમ લોનથી લઈને હેલ્થ ઈન્સ્યોરન્સ સુધીના નિયમોમાં ફેરફાર કરે તેવી અપેક્ષા છે. બજેટ 2023માં સરકાર નવા વિસ્તારો માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ એટલે કે PLI સ્કીમની જાહેરાત કરી શકે છે. આ સિવાય એક જિલ્લા એક ઉત્પાદન યોજનાને પ્રોત્સાહન આપવા માટે નવી જાહેરાતો કરી શકાય છે. તેનો હેતુ ભારતમાં નિકાસ હબ બનાવવાનો અને તેમાંથી નવી નોકરીઓ ઉભી કરવાનો રહેશે.

આ પણ વાંચો : Budget 2023 : કરિયરથી લઈને બાળકોના શિક્ષણ સુધી, નાણામંત્રી પાસેથી છે આ 6 મહત્વની અપેક્ષાઓ

બજેટ 2023માં લોકોને કેટલી રાહત મળી શકે છે

મોદી સરકાર બજેટમાં જમીન અધિગ્રહણ સંબંધિત અવરોધોને પણ દૂર કરી શકે છે. આ સિવાય સરકાર બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જ્યુડિશિયલ રિફોર્મ્સમાં પણ સુધારાની જાહેરાત કરી શકે છે. સરકારે વર્ષ 2025 સુધીમાં આરોગ્ય પર જીડીપીના 2.5 ટકા ખર્ચ કરવાનો લક્ષ્યાંક પણ રાખ્યો છે. સરકારના આ બજેટ 2023માં લોકોને કેટલી રાહત મળી શકે છે, તે તો બજેટ રજૂ થયા બાદ જ ખબર પડશે. પરંતુ લોકોને મોદી સરકાર પાસેથી ઘણી આશાઓ છે.

Published On - 3:17 pm, Fri, 13 January 23

Next Article