Surya Tilak : રામનવમી પર રામલલ્લાનું ‘સૂર્ય તિલક’ જોવા માટે લોકોમાં ઉત્સાહ, અયોધ્યા 25 લાખ લોકો કરશે દર્શન

Ramlalla Surya Tilak : રામનવમીના દિવસે ભગવાન રામલલાના 'સૂર્ય તિલક'ને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે રામલલ્લાનું 'સૂર્ય તિલક' કરવામાં આવશે. લગભગ ચાર મિનિટ સુધી ભગવાન રામના કપાળ પર સૂર્યનો પ્રકાશ ચમકશે.

Surya Tilak : રામનવમી પર રામલલ્લાનું 'સૂર્ય તિલક' જોવા માટે લોકોમાં ઉત્સાહ, અયોધ્યા 25 લાખ લોકો કરશે દર્શન
Ramlalla Surya Tilak
Follow Us:
| Updated on: Apr 17, 2024 | 7:30 AM

રામનવમી માટે અયોધ્યામાં ભક્તોની ભીડ અત્યારથી જ એકઠી થવા લાગી છે. અનુમાન છે કે 17 એપ્રિલે 25 લાખ લોકો રામલલ્લાના દર્શન કરશે. તે દિવસે સરયુમાં સ્નાન, પછી હનુમાનગઢી અને રામ મંદિરમાં પૂજા કરવાની પરંપરા છે. ગયા વર્ષે રામ નવમી પર 15 લાખ લોકો આવ્યા હતા. રામ મંદિરના નિર્માણ બાદથી દરરોજ સરેરાશ દોઢથી બે લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે.

રામનવમીના દિવસે ભગવાન રામલલ્લાના ‘સૂર્ય તિલક’ને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. રામનવમીના દિવસે એટલે કે આજે બપોરે 12 વાગ્યે રામલલાનું ‘સૂર્ય તિલક’ કરવામાં આવશે. લગભગ ચાર મિનિટ સુધી ભગવાન રામના કપાળ પર સૂર્યનો પ્રકાશ ચમકશે.

આ અદ્ભુત ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બની શકે કે દરેક લોકોને મંદિરમાં આ દર્શન કરવા ન મળી શકે પરંતુ અયોધ્યામાં હાજર તમામ ભક્તો તેને જોઈ શકશે. આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

શહેરમાં વિવિધ સ્થળોએ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં દરેક મુખ્ય જગ્યાએ એલઇડી સ્ક્રીન લગાવવામાં આવશે. જેના પર ગર્ભગૃહમાં થતી આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. લોકો એલઇડી સ્ક્રીન પર રામલલાનું ‘સૂર્ય તિલક’ પણ જોઈ શકશે.

દર્શન કરવા માટે ભક્તોની ભીડ બેકાબૂ

જિલ્લા પ્રશાસન માટે સૌથી મોટો પડકાર ભીડને નિયંત્રિત કરવાનો છે. રામલલ્લાના અભિષેકના બીજા જ દિવસે મંદિરની અંદર અને બહાર નાસભાગ મચી ગઈ હતી. પરિસ્થિતિને સંભાળવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા જવું પડ્યું. રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી.

પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યાની આ પહેલી રામનવમી છે. આ પ્રસંગે વધુ સારી વ્યવસ્થા કરવા માટે શનિવારે, 17 એપ્રિલના રોજ લખનઉમાં એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. યુપીના મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રા અને કાર્યકારી ડીજીપી પ્રશાંત કુમાર સહિત ઘણા સિનિયર IAS અને IPS અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.

સુરક્ષાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે

બેઠકમાં ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થાપન, પાણીની વ્યવસ્થા અને મેડિકલ સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વધતી ગરમીને જોતાં 1523 પીવાના પાણીના નળ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એવું કહેવામાં આવ્યું છે કે, 15 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યાથી અયોધ્યા તરફ જતા હાઈવે પર મોટા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 16 એપ્રિલ પછી કોઈ પણ ફોર વ્હીલરને અયોધ્યા શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. લોકો પગપાળા જ ચાલીને જઈ શકશે. CCTV કેમેરા દ્વારા વિવિધ સ્થળોએ 24 કલાક સતત નજર રાખવામાં આવશે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">