‘Omicron’ વેરિઅન્ટથી બચવા માટે તમામ દેશોએ અપનાવવા જોઈએ આ 10 ઉપાય, મુસાફરી પર પ્રતિબંધ પૂરતો નથી
Omicron Latest News: દક્ષિણ આફ્રિકામાં સૌ પ્રથમ જોવા મળેલા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ અત્યાર સુધીમાં વિશ્વના ઘણા દેશોમાં નોંધાયા છે. તેનાથી બચવા માટે નિષ્ણાતોએ કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો આપ્યા છે.
Omicron Covid-19 Variant: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (World Health Organization) કોરોના વાઈરસના નવા વેરીઅન્ટ Omicron (B.1.1.529)ને ‘ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરીઅન્ટ’ ગણાવ્યો છે. જેના કારણે ટૂંક સમયમાં વિશ્વભરના દેશોએ દક્ષિણ આફ્રિકા અને બોત્સ્વાના જેવા દેશો પર મુસાફરી પ્રતિબંધો લાદી દીધા, જ્યાં આ પ્રકારના કેસ નોંધાયા છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની કડક તપાસ અને પરીક્ષણ કરવાનો આદેશ પણ આપ્યો છે. આ દરમિયાન નિષ્ણાતોએ વાયરસના ફેલાવાને રોકવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં સૂચવ્યા છે.
એક વેબસાઈટ અનુસાર નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ બાયોમેડિકલ જીનોમિક્સના ડાયરેક્ટર ડો. સૈમિત્ર દાસે કહ્યું છે કે ભારત સરકારે ઓમિક્રોન (How to Curb Omicron)ના સંક્રમણને રોકવા માટે નીતિગત નિર્ણયો લેવા જોઈએ. તેવી જ રીતે દક્ષિણ આફ્રિકામાં વિટવાટરસૈન્ડ યુનિવર્સિટીના રસીકરણના પ્રોફેસર શબીર એ માધીએ જણાવ્યું હતું કે મુસાફરી પરના પ્રતિબંધો પૂરતા નથી. તેમણે આવા 10 ઉપાયો આપ્યા છે, જેને તમામ દેશોએ અપનાવવા જોઈએ. આ સાથે તેણે પાંચ બાબતો જણાવી છે, જે દરેક વ્યક્તિએ ટાળવી જોઈએ. મોટાભાગના પગલાંનો ઉલ્લેખ દક્ષિણ આફ્રિકાના સંદર્ભમાં કરવામાં આવ્યો છે.
આ પાંચ વસ્તુઓથી બચવું જોઈએ
1. ઝડપી પ્રતિબંધો લાદવા જોઈએ નહીં
પ્રોફેસર શબીર એ માધીએ કહ્યું કે ઘરની અંદરની જગ્યાઓ (એટલે કે બંધ રૂમ કે હોલ)માં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ યોગ્ય છે. પરંતુ અન્ય નિયંત્રણો ઝડપથી લાદવા જોઈએ નહીં. તેમણે કહ્યું ‘આ દક્ષિણ આફ્રિકામાં છેલ્લી ત્રણ લહેરો (Covid Restrictions)માં સંક્રમણ ઘટાડવામાં નિષ્ફળ રહ્યું છે. કારણ કે સીરો-સર્વે અને મોડેલિંગ ડેટા અનુસાર 60-80 ટકા લોકો વાઈરસથી સંક્રમિત થયા છે. આર્થિક પ્રવૃતિઓ પરના નિયંત્રણો માત્ર તે સમયગાળો વધારે છે જેમાં સંક્રમણ લગભગ 2-3 અઠવાડિયા લે છે.’
2. ઘરેલુ/આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધ મૂકશો નહીં
પ્રોફેસર કહે છે, ‘આ (ટ્રાવેલ પ્રતિબંધ) હોવા છતાં વાયરસ ફેલાશે, જેમ કે ભૂતકાળમાં થયું છે. એ માનવું યોગ્ય નથી કે મુઠ્ઠીભર દેશો પર મુસાફરી પ્રતિબંધ વેરિઅન્ટના ફેલાવાને અટકાવશે. આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ જશે. તમે ત્યારે જ બચી શક્શો જ્યારે તમે કોઈ દ્વીપીય રાષ્ટ્ર હોવ, જે વિશ્વના બાકી દેશોથી અલગ હોય. સંભવિત કેસોને ઓળખવા અને રસીકરણને ફરજિયાત કરવા માટે સખત એક્ઝિટ અને એન્ટ્રી સ્ક્રિનિંગ પ્રોગ્રામ દ્વારા વેરિયન્ટ્સને ફેલાવાથી અટકાવી શકાય છે.’
3. નકામા નિયમો જાહેર કરશો નહીં
તેમણે કહ્યું કે, “સ્થાનિક સંદર્ભમાં લાગુ ન કરી શકાય તેવા નિયમોની જાહેરાત કરશો નહીં અને ડોળ કરશો નહીં કે લોકો તેમને અનુસરે છે.”
4. જોખમ ધરાવતા લોકો માટે રસીકરણ ટાળશો નહીં
65 વર્ષથી વધુ ઉંમરના લોકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ રસીનો બૂસ્ટર ડોઝ (Booster Dose) મેળવવો જોઈએ. નાના બાળકોને રસીકરણને પ્રાથમિકતા આપવી જોઈએ. તમને જણાવી દઈએ કે ભારતમાં હજુ સુધી બૂસ્ટર ડોઝ લગાવવાનું શરૂ થયું નથી.
5. હર્ડ ઈમ્યુનિટી કન્સેપ્ટ વેચવાનું બંધ કરો
પ્રોફેસર માધી કહે છે, ‘આ અમલમાં ન આવનારું છે અને વિરોધાભાસી રીતે રસી પરના વિશ્વાસને નબળું પાડે છે.’
તમામ દેશોએ આ 10 ઉપાયો અપનાવવા જોઈએ
1. ખાતરી કરો કે આરોગ્ય સુવિધાઓ સંપૂર્ણપણે તૈયાર છે.
2. દરેકને રસી આપો.
3. ઈન્ડોર સ્થળોની મુલાકાત લેતા લોકોને રસીના પાસપોર્ટ પ્રદાન કરો.
4. એવા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરતા રહો, જેમને રસી આપવામાં આવી નથી.
5. ઉચ્ચ જોખમ ધરાવતા લોકો માટે રસીનો બૂસ્ટર ડોઝ લાગુ કરો.
6. લોકોને જવાબદાર વર્તન અપનાવવા પ્રોત્સાહિત કરો.
7. પ્રાદેશિક સ્તરે હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાની ખાતરી કરો.
8. વાયરસ સાથે જીવતા શીખો, સર્વગ્રાહી અભિગમ અપનાવો.
9. વિજ્ઞાનને અનુસરો, રાજકારણ માટે તેને નકારશો નહીં.
10. ભૂતકાળની ભૂલોમાંથી શીખો.
આ પણ વાંચો : મહાવિકાસ અઘાડી સરકારે પુરા કર્યા બે વર્ષ, CM ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની ગણાવી ઉપલબ્ધિઓ