Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir : શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ, 3 આતંકવાદી ઠાર

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Jammu Kashmir : શ્રીનગરના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલુ, 3 આતંકવાદી ઠાર
Jammu and Kashmir 3 terrorists killed by security forces in Nowgam encounterImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 10:43 AM

Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના શ્રીનગર શહેરની બહાર બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના નૌગામ ( Nowgam)વિસ્તારમાં આતંકવાદીઓની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે આ દરમિયાન આતંકવાદી(Terrorist )ઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારબાદ દળોએ પણ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. અધિકારીએ કહ્યું કે એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો.

આતંકીની ઓળખ હજુ સુધી મળી શકી નથી. અભિયાન હજુ ચાલુ છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે કહ્યું કે કેટલાક આતંકવાદીઓને ફોર્સ દ્વારા ઘેરી લેવામાં આવ્યા છે, જેમાં 9 માર્ચે શહેરના ખોનમોહ વિસ્તારમાં સરપંચની હત્યામાં સામેલ લોકોનો પણ સમાવેશ થાય છે. આ અથડામણને કારણે રેલવે મેનેજમેન્ટે સાવચેતીના ભાગરૂપે બનિહાલ-બારામુલ્લા વચ્ચે ચાલતી ટ્રેન સેવાને સ્થગિત કરી દીધી છે. આ રેલ્વે ટ્રેક એન્કાઉન્ટર સ્થળની ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં તે મુસાફરો માટે જોખમનું કારણ બની શકે છે.3 આતંકવાદી ઠાર માર્યા ગયા છે

શું Power Bank ખરેખર ફોનને નુકસાન પહોંચાડે છે?
Lizard Falling: ગરોળીનું શરીર પર પડવું શુભ કે અશુભ? જાણો અહીં
Plant In Pot : ચટાકેદાર વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફુદીનો ઘરે કૂંડામાં ઉગાડો
આજનું રાશિફળ તારીખ : 27-03-2025
IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો

IGPએ ટ્વીટ કરીને આ સમગ્ર મામલાને માહિતી આપી

હિઝબુલ મુજાહિદ્દીનના મુખ્ય આતંકવાદી ફારૂક નલ્લીની સૂચના પર હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મુશ્તાક યાતુ દ્વારા સરપંચની હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે હુમલો શુક્રવારે રાત્રે 8.20 કલાકે થયો જ્યારે આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના ઔદૌરા વિસ્તારમાં સરપંચ શબ્બીર અહેમદ મીર પર ગોળીબાર કર્યો. મીરને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ તેને બચાવી શકાયો નહીં.

સુરક્ષા દળોના જવાનો ઘાટીને આતંક મુક્ત કરવાના મિશનમાં લાગ્યા

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓને ખતમ કરવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળો ઘાટીને આતંક મુક્ત બનાવવાના મિશનમાં લાગેલા છે અને આ જ કારણસર કાશ્મીરમાં આતંકવાદીઓ સતત ઠાર થઈ રહ્યા છે.

આ પણ વાંચો : PM મોદીના ભાષણમાં અટલ બિહારી વાજપેયીની ખાસિયતો જોવા મળે છે, પરંતુ કહેવામાં અને કરવામાં ફરક: શશિ થરૂર

g clip-path="url(#clip0_868_265)">