AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે

12 થી 14 વર્ષના બાળકોને હૈદરાબાદમાં આવેલી બાયોલોજીકલઈ નામની ફાર્મા કંપની દ્વારા નિર્મીત કોર્બેવેક્સ નામની કોરોના રસી આપવામાં આવશે. દેશમાં અંદાજે કુલ 7.11 કરોડ બાળકોને કોરોના રસી આપવામાં આવશે.

ગુજરાતમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોને કોરોના વિરોધી રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે
children Vaccination (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 6:57 AM
Share

આજથી રાજ્યમાં 12થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોરોના (Corona)વિરોધી રસીકરણ (Vaccination) શરૂ થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Cm Bhupendra Patel) ગાંધીનગરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવશે. જે અંતર્ગત રાજ્યના કુલ 23 લાખ બાળકોને કોર્બેવેક્સ વેક્સિન આપવામાં આવશે. હૈદરાબાદની બાયોલોજિકલ ઈ.લિમિટેજ કંપનીએ બનાવીએ કાર્બેવેક્સ વેક્સિન તૈયાર કરી છે. રસિકરણ અભિયાનમાં રાજ્યનું શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો પણ જોડાશે.

23 લાખ બાળકોને રસી અપાશે

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળાએથી સવારે 9 કલાકે રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે. કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ રાજ્યમાં આજથી આ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. 12 થી 14 વર્ષની વય જૂથના અંદાજે 23 લાખ બાળકોને કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત અપાશે.

આ ઉપરાંત 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોવિડ-19 વેક્સિનનો પ્રિકોશન ડોઝ પણ લઈ શકશે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ કોરોનાના રસીના 10 કરોડ 41 લાખ 20 હજાર 838 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 15 માર્ચના રોજ 90,715 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે, બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. આ સાથે એમણે વધુમાં જણાવ્યું છે કે, મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઇ રહ્યું છે. આ સાથે જ હવે 60થી વધુ ઉંમરના તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ પણ લઇ શકશે. આ સાથે જ તેમણે બાળકો અને વડીલોને કોરોના રસી લગાવવાની અપીલ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં 3 જાન્યુઆરીના રોજ બાળકોનું રસીકરણ શરૂ થયું હતું. આ સાથે જ પહેલા તબક્કામાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ થયું હતું. જ્યારે હવેથી 12 થી 14 વર્ષના બાળકોનું પણ રસીકરણ શરૂ થઇ રહ્યું છે.

બાળકોને કોર્બેવેક્સ નામની રસી અપાશે

12 થી 14 વર્ષના બાળકોને હૈદરાબાદમાં આવેલી બાયોલોજીકલઈ નામની ફાર્મા કંપની દ્વારા નિર્મીત કોર્બેવેક્સ નામની કોરોના રસી આપવામાં આવશે. દેશમાં અંદાજે કુલ 7.11 કરોડ બાળકોને કોરોના રસી આપવામાં આવશે.. જ્યારે અમદાવાદમાં 2 લાખ 10 હજાર બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક છે.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસના 2503 કેસ નોંધાયા છે. જ્યારે 4377 લોકો કોરોનાથી સાજા થયા છે.

આ પણ વાંચો-

ગુજરાત વિધાનસભા ગૃહમાં વીજળી અને સિંચાઈના પાણીનો મુદ્દો ગુંજ્યો, કોંગ્રેસે વોકઆઉટ કર્યું

આ પણ  વાંચો-

Gujarat Assembly Session Highlights: વિધાનસભામાં અંદાજપત્ર પર ચર્ચા શરૂ, કોગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોને અપાતી વીજળી મુદ્દે સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">