AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor LIVE : ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો, પાકિસ્તાનમાં સ્ટ્રાઈક કરી, ઘણા ઠેકાણાઓનો નાશ કર્યો

ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 50 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલાને ઓપરેશનનું સિંદૂર નામ આપવામાં આવ્યું. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં કટોકટી જેવી સ્થિતિ. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગેના દરેક અપડેટ માટે TV9 ભારતવર્ષ સાથે જોડાયેલા રહો.

Operation Sindoor LIVE : ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો, પાકિસ્તાનમાં સ્ટ્રાઈક કરી, ઘણા ઠેકાણાઓનો નાશ કર્યો
india pakistan monitoring operation sindoor throughout the night
Follow Us:
| Updated on: May 07, 2025 | 10:50 AM

ભારતે પહેલગામ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખી રાત સતત કામગીરી પર નજર રાખી રહ્યા છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાનમાં સ્ટ્રાઈક કરી અને પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેનાથી પડોશી દેશને યોગ્ય જવાબ મળ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ સવારે 11 વાગ્યે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બોલાવી છે

ઓપરેશનની પીએમ દ્વારા સીધી નજર

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે આ ઓપરેશનની દેખરેખ કરી. તેમને ડિફેન્સ સ્ટાફ ચીફ, ઉચ્ચ સ્તરના જાસુસી અધિકારીઓ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા સતત માહિતી આપવામાં આવી. પહેલગામ હુમલા બાદથી જ વડાપ્રધાન અને ત્રણેય સેનાના વડાઓ વચ્ચે અનેક મિટિંગમાં ચર્ચાઓ થઈ હતી.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત

રાત્રે 1:44 વાગ્યે રક્ષણ મંત્રાલયનું નિવેદન

ભારતીય સૈન્યે કોઈપણ પાકિસ્તાની સૈન્ય સ્થાને હુમલો કર્યો ન હતો. હુમલાનું લક્ષ્ય માત્ર આતંકી ઠેકાણા હતું.

એયરસ્ટ્રાઈક કયા-કયા સ્થળે થયા?

પાકિસ્તાની ધરતી પર (4 સ્થળો):

  • સિયાલકોટ

  • ચક અમરુ

  • મુરીદકે

  • બહાવલપુર (2 ઠેકાણા)

પાકિસ્તાન અધિકૃત કશ્મીર (સ્થળો):

  • મુઝફ્ફરાબાદ
  • કોટલી
  • ગુલપુર
  • બિંબર

ઑપરેશનનું નામ: ઓપરેશન સિંદૂર

22 એપ્રિલે પેહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં મોટા ભાગના પ્રવાસીઓ હતા. ઘણીઓએ પોતાના પતિ ગુમાવ્યા, તેથી ઓપરેશનને “સિંદૂર” નામ આપવામાં આવ્યું. ભારતે આ હુમલાનો જવાબ આપીને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

તબાહી અને પ્રતિસાદ

એરસ્ટ્રાઈકમાં 3 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને ઘણા ઘાયલ થયા છે.  POKમાં મોટા ધડાકાઓ થયાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. વિસ્ફોટ બાદ શહેરમાં વીજ પુરવઠો બંધ કરાયો હતો.

પાકિસ્તાનનો જવાબ

પાકિસ્તાની સેના વડા જનરલ ચૌધરીએ જણાવ્યું કે તેઓ તેનો “મક્કમ જવાબ” આપશે. વડાપ્રધાન શહબાજ શરીફે એક્સ (પૂર્વેનું ટ્વિટર) પર લખ્યું કે “દુશ્મન દેશે ચાલાકીથી હુમલો કર્યો છે, પણ અમે તેનું યોગ્ય પ્રતિસાદ આપીશું.”

g clip-path="url(#clip0_868_265)">