કોરોના સામેના જંગમાં મળી રહી છે સફળતા, 24 કલાકમાં 1 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ
કોરોના વાઈરસના લઈને સતત કેસ વધી રહ્યાં છે. જો કે એક સારા સમાચાર પણ આવ્યા છે. દેશમાં કોરોના વાઈરસથી છેલ્લાં 24 કલાકમાં 1074 લોકો સ્વસ્થ થયા છે. આ જાણકારી સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આપી હતી. આ એક રેકોર્ડ છે કારણ કે અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયેલાં લોકોની આ સંખ્યા સૌથી વધારે છે. […]
કોરોના વાઈરસના લઈને સતત કેસ વધી રહ્યાં છે. જો કે એક સારા સમાચાર પણ આવ્યા છે. દેશમાં કોરોના વાઈરસથી છેલ્લાં 24 કલાકમાં 1074 લોકો સ્વસ્થ થયા છે. આ જાણકારી સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આપી હતી. આ એક રેકોર્ડ છે કારણ કે અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયેલાં લોકોની આ સંખ્યા સૌથી વધારે છે.
આ પણ વાંચો : કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા CRPF બાદ BSF હેડક્વાર્ટરના પણ 2 માળ કરાયા સીલ
સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે દેશમાં કોરોના વાઈરસના કુલ 42553 દર્દીઓ છે. જેમાં 29453 એક્ટિવ કોરોના કેસ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2553 કેસ નોંધાયા છે. દેશમાં અત્યારસુધી કોરોના વાઈરસથી 11706 લોકો સ્વસ્થ થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દેશમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થવાનો દર પણ વધ્યો છે. પહેલાં જે 27 ટકા હતો તે હવે 27.52 ટકા થઈ ગયો છે. આ સિવાય લવ અગ્રવાલે કહ્યું કે લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે તેમ મેડિકલ સુવિધાઓ, નિયંત્રણના પ્રયાસો ચાલુ રાખવા જરૂરી છે. જો પ્રતિબંધમાં ઢીલ આપવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના કરવામાં આવે તો બીમારી વધુ ફેલાય શકે છે. આપણે આ સામાજિક જવાબદારી સમજવી જોઈએ અને તેનું પાલન પણ કરવું જોઈએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]