તિરૂપતિ મંદિરમાં એક ભક્તએ ભગવાનને ભેટ ધરી 5 કિલો સોનાની તલવાર, કિંમત એક કરોડ
હૈદરાબાદના એક ભક્ત શ્રીનિવાસે ગઈ કાલે તિરૂપતિ નજીક તિરુમાલા ટેકરી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને બે કિલો સોના અને ત્રણ કિલો ચાંદીની બનેલી તલવાર અર્પણ કરી હતી. આ માહીતી મંદિરના એક અધિકારીએ આપી હતી અને જણાવ્યું કે, એક ભક્તે ભગવાનને સૂર્ય કટારી ભેંટ કરી છે અને આ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યાં છે.
એક ભક્ત (devotee)ને તેના આરાધ્ય એવા ભગવાનમાં અતૂટ વિશ્વાસ રહેલો હોય છે. ઈશ્વરમાં રહેલી આસ્થાને સાબિત કરવા અને ભગવાનને પ્રસન્ન કરવા માટે વિવિધ ભેટ અને દક્ષીણા મંદિરમાં અર્પણ કરતો હોય છે.તાજેતરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અને ઝડપથી સોશીયલ મીડીયા (Social Media)માં વાયરલ પણ થઈ રહ્યો છે.
હૈદરાબાદના એક ભક્ત શ્રીનિવાસે ગઈ કાલે તિરૂપતિ નજીક તિરુમાલા ટેકરી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરને બે કિલો સોના અને ત્રણ કિલો ચાંદીની બનેલી તલવાર અર્પણ કરી હતી. આ માહીતી મંદિરના એક અધિકારીએ આપી હતી અને જણાવ્યું કે, એક ભક્તે ભગવાનને સૂર્ય કટારી ભેંટ કરી છે અને આ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યાં છે.
તિરૂપતિ મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તિરુમાલા-તિરૂપતિ દેવસ્થાનમના અધિક કાર્યકારી અધિકારી વેંકટધર્મ રેડ્ડીએ આ તલવાર સ્વીકારી છે. સોના-ચાંદીથી બનેલી આ તલવારની કિંમત એક કરોડ રૂપિયા છે.
મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ તલવારનું વજન પાંચ કિલો છે જે બે કિલો સોના અને ત્રણ કિલો ચાંદીથી બનેલું છે. શ્રી વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં તિરૂમાલા પર્વતો પર બનાવવામાં આવ્યું છે.
એક રીપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષથી તલવાર ભેંટ ધરવા માટે શ્રીનિવાસ દંપતી રાહ જોઈ રહ્યું હતું પરંતુ કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે મોડું થતું હતું. અંતે તેમણે તલવાર મંદિરને ભેટ કરી હતી.
શ્રીનિવાસ દંપતીએ સ્વર્ણિમ તલવાર તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ના અધિકારીઓને સોંપી હતી. શ્રીનિવાસ દંપતીએ રવિવારે તિરુમાલાના કલેકટિવ ગેસ્ટ હાઉસ ખાતે મીડિયા સામે આ તલવાર બતાવી હતી.
વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં સોનાની તલવાર સોંપનાર શ્રીનિવાસે કહ્યું કે હું છેલ્લા એક વર્ષથી સોનાની તલવાર ‘સૂર્ય કટારી’ને મંદિરમાં ભેટ ધરવા માગતો હતો , પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે મંદિર બંધ થઈ ગયું હતું.
શ્રીનિવાસ દંપતીએ તે તલવાર તામિલનાડુમાં કોઈમ્બતુરના ઝવેરી પાસે બનાવડાવી હતી. તલવાર બનાવવામાં 6 મહિના જેટલો સમય લાગ્યો હતો. સાથે – સાથે તમને એ પણ જણાવી દઈએ કે તિરૂપતિ શ્રી વેંકટેશ્વર મંદિર ભારતનું બીજું ધનિક મંદિર છે, જ્યાં ભક્તો દર વર્ષે કરોડોની ભેટ અર્પણ કરે છે.
આ પણ વાંચોઃ મંગળનું પરિક્રમણ: આજે થનારા મંગળના પરિક્રમણની જાણો 5 રસપ્રદ વાત, કેમ કહેવાય છે મંગળને કમાન્ડર-ઈન-ચીફ