સંસદમાં કોઈપણ બિલ કાયદો કેવી રીતે બને છે ? જાણો શું હોય છે તેની પ્રક્રિયા ?

સંસદ દ્વારા પસાર કરવામાં આવે અને રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકારવામાં આવે તે પછી એક બિલને અસરકારક કાયદો બનવામાં સરેરાશ 261 દિવસનો સમય લાગે છે.

સંસદમાં કોઈપણ બિલ કાયદો કેવી રીતે બને છે ? જાણો શું હોય છે તેની પ્રક્રિયા ?
Parliament
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 8:28 PM

સંસદનું શિયાળુ સત્ર (Parliament Winter Session) શરૂ થઈ ગયું છે. આ દરમિયાન ઘણા બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. ઘણા નવા કાયદાઓને સંસદની મંજૂરી મળશે. પરંતુ શું તમે જાણો છો કે બિલ કેવી રીતે કાયદો બને છે ? બિલ કાયદો બનવાની પ્રક્રિયા શું છે ? બિલ કોણ રજૂ કરે છે? અને તે કેટલો સમય લે છે. આજે આ સવાલોના જવાબો તમારી સામે રાખીશું.

બિલ કોણ રજૂ કરે છે? સંસદમાં કોઈપણ કાયદો પસાર કરવા માટે લોકસભા (Lok Sabha) અથવા રાજ્યસભામાં (Rajya Sabha) બિલ રજૂ કરવું પડે છે. સંસદનો કોઈપણ સભ્ય બિલ રજૂ કરી શકે છે. જો કોઈ કેન્દ્રીય મંત્રી (Union Minister) બિલ રજૂ કરે છે, તો તેને સરકારી બિલ (Government Bill) માનવામાં આવે છે અને જો કોઈ સાંસદ બિલનો પ્રસ્તાવ મૂકે છે, તો તેને ખાનગી સભ્યનું બિલ (Private Member’s Bill) કહેવામાં આવે છે.

બિલને કાયદો બનવાની પ્રક્રિયા શું છે? કોઈ બિલને કાયદો બનવા માટે તેને સંસદના (Parliament) બંને ગૃહોમાં ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે જેને રીડિંગ કહેવામાં આવે છે. ત્રણ પગલાં એટલે કે પ્રથમ રીડિંગ, બીજું રીડિંગ અને ત્રીજું રીડિંગ. ‘ફર્સ્ટ રીડિંગ’માં, ગૃહમાં બિલ રજૂ કરવાની મંજૂરી માટે પ્રસ્તાવ આપવામાં આવે છે. જ્યારે દરખાસ્ત મંજૂર થાય છે, ત્યારે બિલ ગૃહમાં રજૂ કરવામાં આવે છે. કોઈપણ બિલને બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર થવું પડે છે. તેથી, એક ગૃહ પાસેથી પસાર થયા પછી, તેને બીજા ગૃહમાં પણ રજૂ કરવામાં આવે છે. બીજા ગૃહમાં પણ બિલનું ‘પ્રથમ રીડિંગ’ થશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વિભાગીય રીતે બનેલી સ્થાયી સમિતિઓની (Standing Committees) સ્થાપના 1993 માં કરવામાં આવી હતી, ત્યારબાદ લગભગ તમામ બિલો તપાસ અને અહેવાલ માટે ત્રણ મહિના માટે આ સમિતિઓને મોકલવામાં આવે છે. સમિતિ દ્વારા અહેવાલ પ્રાપ્ત થયા પછી બીજું રીડિંગ શરૂ થાય છે. તેમાં ગૃહ નક્કી કરે છે કે બિલ પર વિચાર કરવો કે નહીં, તેને ગૃહની પસંદગી સમિતિ અથવા બંને ગૃહોની સંયુક્ત સમિતિને મોકલવામાં આવે છે. બિલ પર દરેકનો અભિપ્રાય લેવામાં આવે છે.

આ પછી દરેક કલમ વાંચ્યા પછી બિલમાં સુધારો લાવવામાં આવે છે અને મતદાન કરવામાં આવે છે. આ પછી ત્રીજા રીડિંગનો વારો છે. જેમાં એ નક્કી કરવામાં આવે છે કે બિલ ગૃહ દ્વારા પસાર થઈ શકે છે કે કેમ. આ તબક્કે સંસદમાં ચર્ચામાં બિલની તરફેણમાં કે વિરુદ્ધમાં સીધી દલીલો આપવામાં આવે છે. જો બિલ બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવે છે, તો તે રાષ્ટ્રપતિની સંમતિ માટે મોકલવામાં આવે છે.

હવે રાષ્ટ્રપતિ તેને મંજૂર કરી શકે છે અથવા તેને વિચારણા માટે રાખી શકે છે અથવા બિલ પરત કરી શકે છે અને સંસદને તેના પર ફરીથી વિચાર કરવા માટે કહી શકે છે. જો પરત ફરેલું બિલ બંને ગૃહોમાં ફરીથી પસાર થાય છે, તો રાષ્ટ્રપતિએ તેને મંજૂર કરવું પડશે. 2017ના અહેવાલમાં જણાવાયું છે કે સંસદ દ્વારા પસાર કરવામાં આવે અને રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકારવામાં આવે તે પછી એક બિલને અસરકારક કાયદો બનવામાં સરેરાશ 261 દિવસનો સમય લાગે છે.

આ પણ વાંચો : ‘ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો’ પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત

આ પણ વાંચો : Helicopter Crash: એરફોર્સ ઓફિસરનો મૃતદેહ ઓડિશા પહોંચ્યો, મુખ્યમંત્રી પટનાયકે આપી શ્રદ્ધાંજલિ

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">