AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો’ પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત

Prashant Kishore: જો પક્ષને બચાવવો હોય તો લોકશાહી ઢબે ગાંધી પરિવારની બહારના નેતાને પ્રમુખ તરીકે પસંદ કરો. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વિના પણ ભાજપ વિરોધી મોરચો બનાવવો શક્ય છે.

'ટ્વિટ અને કેંડલ માર્ચથી ભાજપને નહીં હરાવી શકો' પ્રશાંત કિશોરનો રાહુલ ગાંધીને ટોણો, PM મોદીને લઈને કહી આ મોટી વાત
Prashant Kishore and Rahul Gandhi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 7:39 PM
Share

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishore) ફરી એકવાર કોંગ્રેસ (Congress) પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, કોંગ્રેસમાં લોકશાહી નથી. જો પક્ષને બચાવવો હોય તો લોકશાહી ઢબે ગાંધી પરિવારની બહારના નેતાને પ્રમુખ તરીકે પસંદ કરો. તેમણે કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વિના પણ ભાજપ વિરોધી મોરચો બનાવવો શક્ય છે.

મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પ્રહાર કરતા કહ્યું કે, તમે ક્યારેય પણ ટ્વિટ અને કેન્ડલ માર્ચ દ્વારા BJP ને હરાવી શકતા નથી. ભાજપ ખૂબ જ મજબૂત બની ગયું છે. મોદીના નેતૃત્વમાં ભાજપ (BJP) ને હરાવવા માટે તમારે મજબૂત વ્યૂહરચના બનાવવી પડશે. પ્રશાંત કિશોરે કહ્યું કે 1984 પછી કોંગ્રેસ એક પણ લોકસભા ચૂંટણી પોતાના દમ પર જીતી શકી નથી. છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસને 90 ટકા ચૂંટણીમાં કારમી હાર મળી છે. કોંગ્રેસ નેતૃત્વએ હારની જવાબદારી લેવી જોઈએ.

આ પહેલા પણ પ્રશાંત કિશોરે કોંગ્રેસને લીધી હતી આંટીમાં પ્રશાંત કિશોરે ટ્વીટ કર્યું, “કોંગ્રેસ મજબૂત વિપક્ષ માટે જે વિચાર અને વિગત રજૂ કરે છે તે મહત્વપૂર્ણ છે, પરંતુ વિપક્ષનું નેતૃત્વ એ કોંગ્રેસનો દૈવી અધિકાર નથી, જ્યારે પાર્ટી છેલ્લા 10 વર્ષમાં તેની 90% ચૂંટણીઓ હારી ગઈ છે. વિરોધ પક્ષના નેતૃત્વને લોકશાહી ઢબે નિર્ણય લેવા દો.

PM મોદી વિશે પ્રશાંત કિશોરે કહ્યું મોટી વાત તેમણે પીએમ મોદી (PM Narendra Modi)ના વખાણ કરતા કહ્યું કે તેઓ બધા લોકોની વાત સાંભળે છે. આ તેની સૌથી મોટી તાકાત છે. તેઓ જાણે છે કે લોકોને આખરે શું જોઈએ છે. પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે આગામી કેટલાક દાયકાઓ સુધી દેશનું રાજકારણ ભાજપની આસપાસ જ ફરશે.

આ પણ વાંચો: Katrina Vicky Wedding : કેટ-વિકીના લગ્ન સોશિયલ મીડિયામાં હીટ, 1 દિવસમાં ફોટો પર આવી આટલી લાઇક્સ

આ પણ વાંચો: ડિનર ડેટ પર વ્યક્તિના દાંત નીકળી આવ્યા બહાર, મહિલાએ શેર કર્યો તેનો વિચિત્ર ડેટિંગ એક્સપિરિયન્સ

Follow Us
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
g clip-path="url(#clip0_868_265)">