‘સરકારો તો બને છે અને પડી ભાંગે છે’, અનેક નેતાઓ સાથેની બેઠક બાદ સપા સુપ્રીમો અખીલેશે આપ્યા મોટા સંકેત

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખીલેશ યાદવે ગઠબંધનને લઈને અનેક નેતાઓ સાથે બેઠક કરી છે. અખીલેશ હાલ દિલ્હીમાં છે. તેમણે TMC પ્રમુખ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સાથે મુલાકાત કરી. તેમણે સપા ઓફિસમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મિટીંગ કરી. આ બેઠકો બાદ અખીલેશે કહ્યુ સરકારો તો બને છે અને પડી ભાંગે છે.

'સરકારો તો બને છે અને પડી ભાંગે છે', અનેક નેતાઓ સાથેની બેઠક બાદ સપા સુપ્રીમો અખીલેશે આપ્યા મોટા સંકેત
Follow Us:
| Updated on: Jun 06, 2024 | 4:22 PM

લોકસભા ચૂંટણી-2024ના પરિણામો આવ્યા બાદ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ સક્રિય છે. બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે ગઠબંધનની બેઠક યોજાઈ હતી. તે જ સમયે, હવે ગુરુવારે, સપા પ્રમુખ અખિલેશે મહાગઠબંધનના અનેક નેતાઓ સાથે બેઠક કરી. અખિલેશ હાલ દિલ્હીમાં છે. તેઓ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને મળ્યા હતા. તેમણે SP કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકો બાદ અખિલેશે કહ્યું કે, જો સરકાર બને છે તો પડી પણ જાય છે. અખિલેશે આ નિવેદન સાથે મોટા સંકેતો આપ્યા છે.

અખિલેશ યાદવે કહ્યું કે, આ વખતે યુપીમાં જનતાના મુદ્દા પર ચૂંટણી યોજાઈ હતી. જનતાએ તેમના મુદ્દા પર મતદાન કર્યું અને ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો. લોકશાહીમાં સરકારો બને છે તો પડી પણ જાય છે, પરંતુ જ્યારે તમારી પાસે બહુમતી ન હોય ત્યારે તમારે અનેક લોકોને ખુશ કરીને સરકાર બનાવવી પડે છે.

સપા પ્રમુખે કહ્યું કે જનતાએ દેશને બચાવવા, બંધારણ બચાવવા અને અનામત બચાવવા માટે આ જનાદેશ આપ્યો છે. અયોધ્યામાં ભાજપની હાર પર અખિલેશે કહ્યું, હું અયોધ્યાની જનતાનો આભાર માનું છું. અયોધ્યામાં રાજ્ય સરકારે લોકોને અન્યાય કર્યો છે. તેમની જમીન લઈ લેવામાં આવી. તેમને યોગ્ય ન મળ્યુ . લોકો સરકારથી નારાજ હતા. સરકાર તેમની સમસ્યાઓ હલ કરવામાં નિષ્ફળ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

અયોધ્યાથી જીત નોંધાવ્યા બાદ અવધેશ પ્રસાદે કહ્યું કે ચૂંટણી લોકોની છે અને જનતાએ આ ચૂંટણી લડી છે અને આ ચૂંટણી ગરીબી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર લડવામાં આવી છે. જે લોકો રામ લાવ્યા હતા તેમને અમે લાવીશુંના નારા પર અવધેશ પ્રસાદે કહ્યું કે તેઓ રામ નથી લાવ્યા. રામ હંમેશા હતા અને હંમેશા રહેશે અને મારાથી મોટો રામ ભક્ત કોઈ નથી હું અયોધ્યામાં જન્મ્યો છું.

સંજય સિંહે કહ્યું- યોગ્ય સમયે લેશુ યોગ્ય નિર્ણય

આ તરફ AAP સાંસદે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન અત્યારે સરકાર બનાવવાની કોશિષ નહીં કરે. યોગ્ય સમયની રાહ જોઈશુ. બુધવારે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં હાજર રહેલા AAP સાંસદ સંજય સિંહે કહ્યું, ‘જનાદેશ મોદી સરકારની વિરુદ્ધ છે. અમે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં નિર્ણય લઈશું. બેઠકમાં સામૂહિક રીતે નિર્ણય લેવાયો હતો કે જનાદેશ મોદી સરકારની તાનાશાહીની વિરુદ્ધ છે, બંધારણને ખતમ કરવાના પ્રયાસની વિરુદ્ધ છે, અનામતને નાબૂદ કરવાના પ્રયાસની વિરુદ્ધ છે.

સંજય સિંહે વધુમાં કહ્યું કે તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. તેણે કહ્યું કે યોગ્ય સમય શું હશે એ કેમેરા સામે ન જણાવી શકાય. રાજનીતિમાં માત્ર શપથ લેવા એ જ ઘટનાક્રમ નથી હોતો. અનેક ઘટનાક્રમ હોય છે. અમે વર્તમાન રાજકીય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ.

આ પણ વાંચો: “વિદેશમાં યુદ્ધ રોકાવી દેનારા પેપરલીક નથી રોકી શકતા”, NEET રિઝલ્ટ વિવાદ પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">