ગણતંત્ર દિવસ પહેલા જ પુલવામામાં જૈશના આતંકીઓ, સેનાએ 3 લોકોને ઘેરી લીધા
ગણતંત્ર દિવસ પહેલા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં સેના અને આતંકીઓની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સેનાએ ત્યાં જૈશના 3 આતંકીઓને ઘેરી લીધા છે. અહેવાલ મુજબ બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે. સેનાએ આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. Web Stories View more તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ […]
ગણતંત્ર દિવસ પહેલા દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં સેના અને આતંકીઓની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સેનાએ ત્યાં જૈશના 3 આતંકીઓને ઘેરી લીધા છે. અહેવાલ મુજબ બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે. સેનાએ આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગણતંત્ર દિવસના કારણે ઘાટીમાં પહેલા જ કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. આતંકીઓની હાજરીની ખબર મળતા જ સેના ત્રાલ પહોંચી ગઈ અને આતંકીઓના ખાત્મા માટે ઓપરેશન શરૂ કરી દીધું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આતંકી એક ઘરમાં છુપાયેલા છે. સેનાએ આસપાસના લોકોને મકાન ખાલી કરવા માટે કહ્યું છે.
સેનાએ જે આતંકીઓને ઘેરી લીધા છે, તેમની ઓળખાણ પણ સામે આવી રહી છે. અહેવાલ મુજબ સેનાએ જૈશના કમાન્ડર કારી યાસિરને ઘેરી લીધો છે. કારી યાસિર મૂળ પાકિસ્તાની છે. કારી યાસિરે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી સામાન્ય લોકોની હત્યાઓ કરી હતી. આ આતંકી પર ત્રાલ ગુજ્જરોની હત્યાનો આરોપ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]