વ્યર્થ ના જવુ જોઈએ જવાનોનું બલિદાન, રાષ્ટ્રને એકજૂટ થઈ ચીનને જવાબ આપનો સમય: ડૉ. મનમોહન સિંહ
દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે ભારત-ચીનના સંબંધોને લઈને કહ્યું કે 15-16 જૂને ગલવાન વેલી લદ્દાખમાં ભારતના 20 જવાનો શહીદ થયા. દેશના આ સપૂતોએ પોતાના છેલ્લા શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા કરી, ત્યારે તેમનું આ બલિદાન વ્યર્થ ના જવું જોઈએ. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો […]
દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે ભારત-ચીનના સંબંધોને લઈને કહ્યું કે 15-16 જૂને ગલવાન વેલી લદ્દાખમાં ભારતના 20 જવાનો શહીદ થયા. દેશના આ સપૂતોએ પોતાના છેલ્લા શ્વાસ સુધી માતૃભૂમિની રક્ષા કરી, ત્યારે તેમનું આ બલિદાન વ્યર્થ ના જવું જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેમને વધુમાં કહ્યું કે આજે આપણે ઈતિહાસના એક નાજૂક રસ્તા પર ઉભા છે. આપણી સરકારના નિર્ણય અને સરકાર દ્વારા ઉઠાવેલા પગલાં નક્કી કરશે કે ભવિષ્યની પેઢી આપણું આંકલન કેવી રીતે કરે. વડાપ્રધાને પોતાના શબ્દો અને જાહેરાતો દ્વારા દેશની સુરક્ષા અને ભૂભાગીય હિતો પર પડનારા પ્રભાવ પ્રત્યે ખુબ સાવધાન હોવું જોઈએ.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે ચીને એપ્રિલ 2020થી લઈ આજ સુધી ભારતીય સીમામાં ગલવાન વેલી અને પેંગોંગ લેકમાં અનેક વખત ઘુસણખોરી કરી છે. આપણે તેમની ધમકીઓ કે દબાણની સામે ઝુકીશું નહીં અને પોતાના ભૂભાગીય અખંડતાથી કોઈ સમાધાનનો પણ સ્વીકાર કરીશું નહીં. આ સમય છે કે જ્યારે સમગ્ર રાષ્ટ્રને એકજૂટ થવાનું છે અને સંગઠિત થઈ જવાબ આપવાનો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો