AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં અહીં ગધેડાનો મેળો ભરાય છે! દિવાળી પર 9000 ગધેડા વેચાયા, ઔરંગઝેબે અહીંથી ખરીદ્યા હતા ખચ્ચર

આપણે બધાએ નાનપણથી ઘણા મેળા જોયા હશે અને તેના વિશે સાંભળ્યું, જોયું અને મુલાકાત લીધી હશે, પરંતુ શું તમે ક્યારેય ગધેડાનો મેળો જોયો છે ? કદાચ તમે આ મેળા વિશે પહેલીવાર સાંભળી રહ્યા છો, પરંતુ ભારતનો એકમાત્ર ગધેડાનો મેળો મધ્ય પ્રદેશ જિલ્લાના સતનાના ધાર્મિક શહેર ચિત્રકૂટ(Chitrakoot)માં યોજાયો છે,

ભારતમાં અહીં ગધેડાનો મેળો ભરાય છે! દિવાળી પર 9000 ગધેડા વેચાયા, ઔરંગઝેબે અહીંથી ખરીદ્યા હતા ખચ્ચર
Donkeys fair is held here in India!
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 9:56 PM
Share

આપણે બધાએ નાનપણથી ઘણા મેળા જોયા હશે અને તેના વિશે સાંભળ્યું, જોયું અને મુલાકાત લીધી હશે, પરંતુ શું તમે ક્યારેય ગધેડાનો મેળો (Donkeys fair) જોયો છે? કદાચ તમે આ મેળા વિશે પહેલીવાર સાંભળી રહ્યા છો, પરંતુ ભારત(India)નો એકમાત્ર ગધેડાનો મેળો મધ્ય પ્રદેશ જિલ્લાના સતના(Satna)ના ધાર્મિક શહેર ચિત્રકૂટ(Chitrakoot)માં યોજાયો છે, વિવિધ રાજ્યોના વેપારીઓ ગધેડા અને ખચ્ચર સાથે ચિત્રકૂટ આવે છે. ગધેડા અને ખચ્ચર માટે અહીં બોલી લાગે છે. અહીં મેળો નિહાળનારાઓની સાથે-સાથે ખરીદદારોની પણ ભારે ભીડ જોવા મળે છે.

વાસ્તવમાં દિવાળીના બીજા દિવસથી પવિત્ર મંદાકિની નદીના કિનારે ગધેડાનો ઐતિહાસિક મેળો ભરાય છે. પરંતુ આ વખતે આ મેળામાં 15 હજાર જેટલા ગધેડા આવ્યા હતા. તે જ સમયે, વિવિધ કદ, રંગ અને જાતિના આ ગધેડાઓની કિંમત 10 હજાર રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધીની છે. વેપારીઓએ પોતાની તપાસ કર્યા પછી ગધેડાઓની બોલી લગાવી અને ખરીદે છે. અહેવાલો અનુસાર છેલ્લા 2 દિવસમાં લગભગ 9 હજાર ગધેડા વેચાયા હતા. જેના કારણે આ મેળામાં વેપારીઓને 20 કરોડનો વેપાર થયો હતો.

ઔરંગઝેબે મેળો શરૂ કર્યો હતો

આપને જણાવી દઈએ કે આ મેળાની શરૂઆત મુગલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી આજદિન સુધી આ મેળો પરંપરાગત રીતે ભરાઈ છે. આ મેળો 3 દિવસ સુધી ચાલે છે. જ્યાં મુઘલ શાસક ઔરંગઝેબની સેનામાં શસ્ત્રો અને લોજિસ્ટિક્સની અછત હતી, ત્યારે આખા વિસ્તારમાંથી ગધેડા, ખચ્ચર એકઠા કરવામાં આવતા હતા અને તેમના ગધેડા આ ક્ષેત્રમાં ખરીદવામાં આવતા હતા. ત્યારથી, દર વર્ષે વ્યવસાયની આ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવે છે.

દેશના આ અનોખા મેળાને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે, દિવાળીના બીજા દિવસથી ચિત્રકૂટની પવિત્ર મંદાકિની નદીના કિનારે આ 3 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, દૂર-દૂરથી આવતા લોકોની ભીડ જામે છે. તેઓ તેમના ગધેડા ખચ્ચર સાથે લાવે છે અને ખરીદી અને વેચાણ કરે છે. સાથે જ 3 દિવસીય મેળામાં લાખોનો વેપાર થાય છે.

કોરોના સમયગાળાને કારણે મેળામાં ઘટાડો જોવા મળ્યો છે

ઉલ્લેખનીય છે કે આથી આ મેળાનું ઐતિહાસિક મહત્વ પણ છે. ચિત્રકૂટ નગર પંચાયત દ્વારા દર વર્ષે દીપાવલી નિમિત્તે મંદાકિની નદીના કિનારે આવેલા મેદાનમાં ગધેડા મેળાનું આયોજન કરવામાં આવે છે, જેના બદલામાં ગધેડાના વેપારીઓ પાસેથી આવક વસૂલવામાં આવે છે. આ સાથે જ મેળાના સંચાલકો કહે છે કે આધુનિક યુગમાં ટ્રાન્સપોર્ટેશનનું સ્થાન મશીનોએ લીધું છે જેના કારણે ગધેડા અને ખચ્ચરના ભાવ અને નફામાં ઘટાડો થયો છે.

કોરોના કાળના કારણે અહીં 2 વર્ષ બાદ આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જો કે મેળામાં દરરોજ હજારોની સંખ્યામાં ગધેડા આવતા હતા, પરંતુ આ વખતે ઓછી સંખ્યામાં જ વેપાર થયો છે, કોરોના અને મોંઘવારીના કારણે અહી 2 વર્ષ બાદ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગધેડાનો ધંધો ઘટી રહ્યો છે.

આ પણ વાંચો: ખેડૂતો આ ઔષધીય પાકની ખેતીથી કરી રહ્યા છે લાખોમાં કમાણી, જેની કિંમત છે 10 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, વિશ્વભરના દેશોમાં થાય છે નિકાસ

આ પણ વાંચો: ખેતીમાં પાણીની અછતને જળ સંચય થકી નિવારી શકાય! આ ગામના સફળ જળ સંચયના પ્રયાસથી ખેડૂતો બન્યા સમુદ્ધ

Follow Us
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">