દિલ્હી-હરિદ્વાર શતાબ્દી ટ્રેનના એક ડબ્બામાં લાગી આગ, ડ્રાઈવરની સમજને કારણે તમામ મુસાફરો સલામત
દિલ્હીથી દહેરાદૂન જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસની (shatabdi express train) બોગીમાં આગ (fire) લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે રાયવાલા અને કાંસરો રેલ્વે સ્ટેશનની વચ્ચે ટ્રેન પાટા ઉપર દોડી રહી હતી.
દિલ્હીથી દહેરાદૂન જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસની (shatabdi express train) બોગીમાં આગ (fire) લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે રાયવાલા અને કાંસરો રેલ્વે સ્ટેશનની વચ્ચે ટ્રેન પાટા ઉપર દોડી રહી હતી. ટ્રેનની બોગીમાં આગની સૂચના મળતા જ ડ્રાઈવરે ટ્રેન રોકી હતી અને મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. ત્યારબાદ ટ્રેનની બોગી સળગવા લાગી. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યા. આ ઘટના થતાં રેલ્વે અને જીઆરપીના અધિકારીઓ હાજર છે. મળેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી નથી. મળેલી માહિતી અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કીટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
The fire which broke out in the C4 compartment of the Delhi-Dehradun Shatabdi Express train today has been brought under control; all passengers safe: Uttarakhand DGP Ashok Kumar pic.twitter.com/VuVPfOIatg
— ANI (@ANI) March 13, 2021
ઉલ્લેખનીય છે કે કાંસરો સ્ટેશન રાજાજી ટાઈગર રિઝર્વના મુખ્ય વિસ્તારમાં આવે છે. પ્રારંભિક માહિતી અનુસાર આ કોચને અલગ કરવામાં આવ્યો છે. તે જ સમયે આ ઘટનામાં કોઈ જાનહાનિ વિશે માહિતી મળી નથી. ટ્રેનની બોગીમાં આગ લાગવાના કારણે રાજાજી અને રેલ્વેમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સ્થળે કાંસરો રેંજ અને રેન્જરનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્વાળાઓથી ઘેરાયેલી બોગી ટ્રેનથી દૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો: Kerala Election 2021: 25 વર્ષ બાદ મુસ્લિમ લીગે કોઈ મહિલા ઉમેદવારને આપી ટિકિટ, જાણો કેવી રીતે મળ્યો મોકો