Delhi: કંઝાવલા કાંડ મુદ્દે અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ

|

Jan 02, 2023 | 5:19 PM

આ ઘટના બાદ દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. કેજરીવાલે આકરા શબ્દોમાં નિંદા કરતા ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમજ દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંયેધરી આપી હતી.

Delhi: કંઝાવલા કાંડ મુદ્દે અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ
Arvind Kejriwal

Follow us on

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 31stની મોડી રાતે બનેલ કંઝાવલા કાંડ બાદ કાનૂની વ્યવસ્થાના વિરોધને લઈને ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાના નિવાસ સ્થાને આજ રોજ બેઠક મળી હતી. જેમાં કંઝાવલા કાંડથી દિલ્હીની કાનૂની વ્યવસ્થાની પોલ ખુલી છે. આ ઘટના બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. કેજરીવાલે આકરા શબ્દોમાં નિંદા કરતા ઘટનાને શરમજનક ગણાવી હતી. તેમજ દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંયેધરી આપી હતી.

આ મુદ્દે કેજરીવાલે ટ્વીટ કરતા કહ્યું છે કે ‘આપણી બહેન સાથે જે થયું તે ખુબ જ શરમજનક છે’. આવુ કોઈ પણ સાથે થાય તે ખુબ ભયાનક છે, તેથી આ ઘટનાના આરોપીઓને સખતમાં સખત સજા મળવી જોઈએ. આ સાથે કેજરીવાલે કંઝાવલા કેસના આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ કરી છે. આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકે કહ્યું કે, હજુ પણ દિલ્હી શહેરમાં મહિલાઓ સુરક્ષિત નથી. દિવસ રાત તેમને ભય સતાવતો રહે છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

 

 

શું છે સમગ્ર મામલો ?

31st ડિસેમ્બરની મોડી રાતે દિલ્હીના સુલ્તાનપુરીમાં કેટલાક અજાણ્યા યુવકોના ટોળાએ એક યુવતીની સ્કૂટીને કારથી ટક્કર મારી હતી, જે બાદ યુવતીને 4 કિલોમીટર સુધી ઘસેડાઈ હતી. ભયંકર અકસ્માત અને તે બાદ યુવતીને રોડ પર ઘસડાવાને કારણે ઘટના સ્થળ પર જ યુવતીનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના દિલ્હીના સુલ્તાનપુરીમાં બની હતી જે બાદ નરાધમો યુવતીને ઘસડીને કંઝાવલા સુધી લઈ ગયા હતા. આ ઘટના સામે આવતા જ દિલ્હી પોલીસે કાર ચાલક સહિત તેના અન્ય મિત્રો વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડ્યા અને આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દેશની રાજધાનીમાં ક્રાઈમ વધ્યું: AAP

આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકે ટ્વીટ કરીને કહ્યું હતુ કે, દેશની રાજધાની ક્રાઈમ સિટી બની ચુકી છે. દિલ્હીમાં આપણી બહેનો-દિકરીઓ સુરક્ષિત નથી અને એલજી સાહેબ કાનૂની વ્યવસ્થા પર ધ્યાન આપવાનું છોડી રાજનીતિ કરી રહ્યા છે. ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થામાં સુધારા કરવામાં આવે તેને લઈને આજે બેઠક યોજવામાં આવી હતી.

(ઈનપુટ – ભાષા)

Published On - 5:19 pm, Mon, 2 January 23

Next Article