Dalai Lama Birthday : આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાનો 86મો જન્મદિવસ
Dalai Lama Birthday : દુનિયામાં તિબેટના સર્વમાન્ય સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામાનો આજે 86મો જન્મદિવસ છે. 5 જુલાઈના રોજ તેમના જન્મ દિવસની પૂર્વ સંધ્યા પર ભારત-તિબેટ સંઘ એક ઓનલાઈન કાર્યક્રમમાં ગુગલ મીટ દ્વારા કરશે.
Dalai Lama Birthday : દુનિયામાં તિબેટના સર્વમાન્ય સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામા (Dalai Lama )નો આજે 86મો જન્મદિવસ છે. 5 જુલાઈના રોજ તેમના જન્મ દિવસની પૂર્વ સંધ્યા પર ભારત-તિબેટ સંઘ એક ઓનલાઈન કાર્યક્રમમાં ગુગલ મીટ દ્વારા કરશે.
કોરોના મહામારી (Corona epidemic) વચ્ચે 14માં બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા (Dalai Lama )ના 86માં જન્મદિવસના રોજ ભારત-તિબેટ સમન્વય સંઘ મનાવશે. સંઘના રાષ્ટ્રીય સહ સંયોજક કાર્યક્રમ સંયોજક અખિલેશ પાઠકે જણાવ્યું કે, જેમાં વારાણસીના સારનાથ સ્થિત કેન્દ્રીય તિબેટ કેન્દ્રીય વિશ્વવિધાલયના કુલપતિ પ્રો.ગેશે ગવાંગ સેમતેન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના ક્ષેત્રીય પ્રચાર પ્રમુખ પદમ સિંહ, જય પ્રકાશ વિશ્વવિધાલય બિહારના કુલપતિ પ્રોફેસર હરિકેશ સિંહ, ઉત્તરાખંડના શિક્ષણવિદ ડૉ.રશ્મિ ત્યાગી રાવત અને તિબેટ સરકાર ( Tibet Government)ના ઈટકો, નવી દિલ્હીના કોઓર્ડિનેટર તેન્જિન જોર્ડન વત્કાના રુપમાં સામેલ થશે.
જેમાં તિબેટ પર વધતી વૈશ્વિક જાગ્રરુકતા અને ચીનના કોરોના (Corona epidemic)મહામારી પર ચર્ચા કરશે, આપને જણાવી દઈએ કે, દલાઈ લામા (Dalai Lama )14માં તેનજિન ગ્યાત્સો તિબેટીઓના ધર્મગુરુ છે. જેનો જન્મ 6 જુલાઈ 1935ના રોજ ઉત્તર-પૂર્વી તિબેટના તાકસ્તેર વિસ્તારમાં રહેનાર ઓમાન પરિવારમાં થયો હતો. તેઓ 1959માં ભારત આવી વસવાટ કર્યો હતો. નોબલ શાંતિ એવોર્ડથી સન્માનિત દલાઈ લામાના કારણે તિબેટની સ્વતંત્રતા આંદોલનને લઈ તિબેટી એકજુથ રહે છે.
દલાઈ લામા (Dalai Lama )એ નાનપણથી જ તિબેટની મુશ્કેલીઓને સમજવાનું શરુ કર્યુ અને આ માટે તેમણે ચીન સામે અવાજ ઉઠાવવાનું શરુ કર્યું,