G20ના ડિનરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નહીં, રાહુલ ગાંધીએ કહ્યું ‘જુઓ વિપક્ષની વેલ્યુ’

|

Sep 08, 2023 | 3:21 PM

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ડિનર આપવામાં આવ્યું નથી. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેમણે વિપક્ષના નેતાને બોલાવ્યા નથી, તો તે દર્શાવે છે કે તેઓ LoPનું કેટલું ધ્યાન રાખે છે. તેઓ આવું કેમ કરે છે? તેઓએ આ કરવાની શા માટે જરૂર છે? આ કરતા પહેલા તેઓ શું વિચારતા હશે? આનો અર્થ એ છે કે તેઓ (સરકાર) ભારતની 60 ટકા વસ્તીના નેતાઓને મૂલ્ય આપતા નથી.

G20ના ડિનરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ નહીં, રાહુલ ગાંધીએ કહ્યું જુઓ વિપક્ષની વેલ્યુ
Rahul Gandhi

Follow us on

G 20 Summit: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) હાલમાં યુરોપના પ્રવાસે છે. આ દરમિયાન ભારતમાં G20 સમિટ યોજાવા જઈ રહી છે. બેલ્જિયમમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાએ કહ્યું કે G20 ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે ખૂબ જ સારી વાત છે કે ભારત તેની કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આ દરમિયાન રાહુલે જી-20 ડિનરમાં વિપક્ષી નેતાઓને આમંત્રિત કરવાના મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી.

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ડિનર આપવામાં આવ્યું નથી. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેમણે વિપક્ષના નેતાને બોલાવ્યા નથી, તો તે દર્શાવે છે કે તેઓ LoPનું કેટલું ધ્યાન રાખે છે. તેઓ આવું કેમ કરે છે? તેઓએ આ કરવાની શા માટે જરૂર છે? આ કરતા પહેલા તેઓ શું વિચારતા હશે? આનો અર્થ એ છે કે તેઓ (સરકાર) ભારતની 60 ટકા વસ્તીના નેતાઓને મૂલ્ય આપતા નથી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

(Credit- ANI)

રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે આ સમયે જ્યારે ભારતમાં G-20 સમિટ ચાલી રહી છે અને મોટા ભાગના યુરોપિયન નેતાઓ ભારતમાં છે, તેઓ PM અને સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરશે, શું તમને લાગે છે કે હિંદુઓ રાષ્ટ્રવાદને ફ્રી પાસ આપી રહ્યા છે? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે G 20 એક મહત્વપૂર્ણ ચર્ચા છે. તે સારી વાત છે કે ભારત આ સમિટનું આયોજન કરી રહ્યું છે. ચોક્કસપણે ભારતમાં કેટલાક મુદ્દા છે જે અમે ઉઠાવ્યા છે પરંતુ મને એવું કહેવું યોગ્ય નથી લાગતું કે તેઓ ફ્રી પાસ આપી રહ્યા છે.

આ પણ વાંચો: G20 પહેલા વિશ્વ બેન્કે ભારતના કર્યા વખાણ, કહ્યું ’50 વર્ષનું કામ 6 વર્ષમાં કર્યુ’

તે જ સમયે, રશિયા-યુક્રેન યુદ્ધ પર એક પ્રશ્નના જવાબમાં રાહુલે કેન્દ્ર સરકારના વલણ સાથે સહમત થયા. તેમણે કહ્યું કે રશિયા સાથે અમારા સંબંધો છે. તેમણે કહ્યું, ‘મને નથી લાગતું કે આ મુદ્દે વિપક્ષનો અભિપ્રાય સરકારના અભિપ્રાયથી અલગ હોય.’

કાશ્મીરમાં શાંતિ હોવી જોઈએ, રાહુલે કહ્યું- મને ટ્રેક કરવામાં આવ્યો હતો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના મુદ્દે કહ્યું કે શાંતિ હોવી જોઈએ. તેમણે કથિત રીતે દેશમાં વધી રહેલી હિંસા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે માત્ર લઘુમતીઓ જ નહીં, દલિતો, આદિવાસીઓ પર પણ હુમલા થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ એક વખત સંસ્થાઓ અને લોકશાહી પર કથિત હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ સંસ્થાઓનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તે ખૂબ જ ગંભીર છે. તેમણે વિપક્ષી નેતાઓના ફોન ટેપિંગના મામલે પણ વાત કરી અને કહ્યું કે તેના પર વધુ માહિતી નથી પરંતુ ‘હા મને ટ્રેક કરવામાં આવ્યો હતો’.

રશિયા-યુક્રેન યુદ્ધ સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન મુદ્દે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ચીને ઉત્પાદન ક્ષેત્રે શાનદાર કામ કર્યું છે. રાહુલના કહેવા પ્રમાણે, ભારત તરફથી આવી કોઈ યોજના હોય તેવું લાગતું નથી. રાહુલે કહ્યું કે ચીને રાજકીય સ્વતંત્રતા વિના લોકોને સમૃદ્ધ બનાવ્યા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:20 pm, Fri, 8 September 23

Next Article