G20 Summit: G-20 સમિટમાં બે ડઝનથી વધુ દેશોના વડાઓ બે દિવસ દિલ્હીમાં રહેશે હાજર, ત્યારે ક્યાં હશે રાહુલ ગાંધી? જાણો

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સરકારી કચેરીઓ માટે રજા જાહેર કરી છે, દિલ્હીમાં 7 થી 10 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે. આ સિવાય ટ્રાફિક ડાયવર્ઝન, મેટ્રોના સમય અને અન્ય તમામ પરિવહન સંબંધિત બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બરથી વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી આવવાનું શરૂ કરશે,

G20 Summit: G-20 સમિટમાં બે ડઝનથી વધુ દેશોના વડાઓ બે દિવસ દિલ્હીમાં રહેશે હાજર, ત્યારે ક્યાં હશે રાહુલ ગાંધી? જાણો
Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 9:42 AM

Delhi: દેશની રાજધાની દિલ્હીમાં G-20 સમિટ (G20 Summit) યોજાવા જઈ રહી છે. 9 અને 10 સપ્ટેમ્બરે બે ડઝનથી વધુ દેશોના વડાઓ દિલ્હીમાં હશે અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. દિલ્હીમાં આ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી તમામનું ધ્યાન તેના પર છે. જી-20ની આ બેઠક દિલ્હીમાં યોજાઈ રહી છે, ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ક્યાં હશે, તે પણ ચર્ચાનો વિષય છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં યુરોપની મુલાકાત લઈ શકે છે. અહીં રાહુલ ગાંધી પેરિસમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરવા ઉપરાંત બેલ્જિયમમાં યુરોપિયન કમિશનના સભ્યોને મળશે. આ સાથે તેઓ ઓસ્લોમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરી શકે છે. રાહુલ ગાંધીનો આ યુરોપ પ્રવાસ એ જ સમયે થશે, જ્યારે દિલ્હીમાં G-20 સમિટ યોજાઈ રહી છે.

રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પાંચ દિવસના યુરોપ પ્રવાસ પર રવાના થશે. 7 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના સભ્યોની બેઠક યોજાવાની છે, જેમાં રાહુલ ગાંધી ભાગ લેશે. આ પછી 8 સપ્ટેમ્બરે તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે, રાહુલ ગાંધી 9 સપ્ટેમ્બરે પેરિસમાં ફ્રાન્સના લેબર યુનિયનની બેઠકમાં પણ હાજરી આપશે. રાહુલ ગાંધી 10 સપ્ટેમ્બરે નોર્વેમાં હશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: અમેરિકા, રશિયા, જાપાન અને યુરોપને નહીં ભારત આ ખાસ મિત્ર દેશમાં કરશે ચોખાની નિકાસ

જી-20 માટે દિલ્હી તૈયાર થઈ રહ્યું છે

ભારત હાલમાં G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, જે સમિટ સાથે સમાપ્ત થશે. 9-10 સપ્ટેમ્બરના રોજ, નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં સ્થિત ભારત મંડપમમાં વિશ્વભરના દિગ્ગજ લોકો એકઠા થશે. અમેરિકા, કેનેડા, ચીન, તુર્કી, યુકે સહિત લગભગ 29 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હીમાં હશે, આવી સ્થિતિમાં અહીંની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સુધારી દેવામાં આવી છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ડેકોરેશનનું કામ પણ ચાલી રહ્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સરકારી કચેરીઓ માટે રજા જાહેર કરી છે, દિલ્હીમાં 7 થી 10 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે. આ સિવાય ટ્રાફિક ડાયવર્ઝન, મેટ્રોના સમય અને અન્ય તમામ પરિવહન સંબંધિત બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બરથી વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી આવવાનું શરૂ કરશે, આવી સ્થિતિમાં એરપોર્ટથી લઈને હોટલ સુધી દરેક જગ્યાએ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">