AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: G-20 સમિટમાં બે ડઝનથી વધુ દેશોના વડાઓ બે દિવસ દિલ્હીમાં રહેશે હાજર, ત્યારે ક્યાં હશે રાહુલ ગાંધી? જાણો

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સરકારી કચેરીઓ માટે રજા જાહેર કરી છે, દિલ્હીમાં 7 થી 10 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે. આ સિવાય ટ્રાફિક ડાયવર્ઝન, મેટ્રોના સમય અને અન્ય તમામ પરિવહન સંબંધિત બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બરથી વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી આવવાનું શરૂ કરશે,

G20 Summit: G-20 સમિટમાં બે ડઝનથી વધુ દેશોના વડાઓ બે દિવસ દિલ્હીમાં રહેશે હાજર, ત્યારે ક્યાં હશે રાહુલ ગાંધી? જાણો
Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 9:42 AM
Share

Delhi: દેશની રાજધાની દિલ્હીમાં G-20 સમિટ (G20 Summit) યોજાવા જઈ રહી છે. 9 અને 10 સપ્ટેમ્બરે બે ડઝનથી વધુ દેશોના વડાઓ દિલ્હીમાં હશે અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. દિલ્હીમાં આ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી તમામનું ધ્યાન તેના પર છે. જી-20ની આ બેઠક દિલ્હીમાં યોજાઈ રહી છે, ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ક્યાં હશે, તે પણ ચર્ચાનો વિષય છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં યુરોપની મુલાકાત લઈ શકે છે. અહીં રાહુલ ગાંધી પેરિસમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરવા ઉપરાંત બેલ્જિયમમાં યુરોપિયન કમિશનના સભ્યોને મળશે. આ સાથે તેઓ ઓસ્લોમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરી શકે છે. રાહુલ ગાંધીનો આ યુરોપ પ્રવાસ એ જ સમયે થશે, જ્યારે દિલ્હીમાં G-20 સમિટ યોજાઈ રહી છે.

રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધી સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પાંચ દિવસના યુરોપ પ્રવાસ પર રવાના થશે. 7 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના સભ્યોની બેઠક યોજાવાની છે, જેમાં રાહુલ ગાંધી ભાગ લેશે. આ પછી 8 સપ્ટેમ્બરે તેઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરશે, રાહુલ ગાંધી 9 સપ્ટેમ્બરે પેરિસમાં ફ્રાન્સના લેબર યુનિયનની બેઠકમાં પણ હાજરી આપશે. રાહુલ ગાંધી 10 સપ્ટેમ્બરે નોર્વેમાં હશે.

આ પણ વાંચો: અમેરિકા, રશિયા, જાપાન અને યુરોપને નહીં ભારત આ ખાસ મિત્ર દેશમાં કરશે ચોખાની નિકાસ

જી-20 માટે દિલ્હી તૈયાર થઈ રહ્યું છે

ભારત હાલમાં G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, જે સમિટ સાથે સમાપ્ત થશે. 9-10 સપ્ટેમ્બરના રોજ, નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં સ્થિત ભારત મંડપમમાં વિશ્વભરના દિગ્ગજ લોકો એકઠા થશે. અમેરિકા, કેનેડા, ચીન, તુર્કી, યુકે સહિત લગભગ 29 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હીમાં હશે, આવી સ્થિતિમાં અહીંની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સુધારી દેવામાં આવી છે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ડેકોરેશનનું કામ પણ ચાલી રહ્યું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સરકારી કચેરીઓ માટે રજા જાહેર કરી છે, દિલ્હીમાં 7 થી 10 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો પણ બંધ રહેશે. આ સિવાય ટ્રાફિક ડાયવર્ઝન, મેટ્રોના સમય અને અન્ય તમામ પરિવહન સંબંધિત બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બરથી વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી આવવાનું શરૂ કરશે, આવી સ્થિતિમાં એરપોર્ટથી લઈને હોટલ સુધી દરેક જગ્યાએ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">