મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી’, PM મોદીના ભાષણ પર રાહુલ ગાંધીનો પલટવાર, ચીન-પાક મુદ્દે કરી મોટી વાત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપ કોંગ્રેસથી ડરે છે કારણ કે અમે સાચું બોલીએ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) સોમવારે લોકસભામાં અને પછી મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (President Ramnath Kovind) સંબોધન ઉપરના આભાર પ્રસ્તાવ પર જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે કોંગ્રેસને આડે હાથે લીધી હતી. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હવે વડાપ્રધાને (PM MODI) કરેલા સંબોધન પર પલટવાર કર્યો છે અને કહ્યું છે કે અમે સાચું બોલીએ છીએ તેથી જ ભાજપ (BJP) કોંગ્રેસથી (Congress) ડરે છે.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ભાષણ આપતી વખતે મારા સવાલનો જવાબ આપ્યો ન હતો. આપણે ચીન અને પાકિસ્તાનના મુદ્દાને ગંભીરતાથી લેવો પડશે. મારા પરદાદાએ દેશની સેવા કરી, મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી.
રાહુલ ગાંધીએ કહ્યું, મારા પરદાદાએ દેશની સેવા કરી, તેમણે આખી જિંદગી આ દેશ માટે આપી દીધી. મારા પરદાદા માટે મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. તેઓ કોંગ્રેસથી ડરે છે કારણ કે કોંગ્રેસ સાચું બોલે છે. તેમનુ સંપૂર્ણ ભાષણ કોંગ્રેસ પર જ રહ્યુ કોંગ્રેસે શું કર્યું અને શું ન કર્યું તે જ કહ્યુ છે.
તેમણે કહ્યું, “મેં ગૃહમાં 3 વાત કહી હતી પરંતુ વડાપ્રધાને મારી એક પણ વાતનો જવાબ આપ્યો ન હતો. કોવિડ વિશે મેં અગાઉ પણ કહ્યું હતું કે કોવિડથી ખતરો છે અને કોઈએ મારી વાત સાંભળી નહીં. મેં ગૃહમાં કહ્યું છે કે પાકિસ્તાન અને ચીન તરફથી ખતરો છે અને તેને ગંભીરતાથી લેવો જોઈએ.
‘પીએમ મોદી વારંવાર ખોટું બોલે છે : કોંગ્રેસ’
કોંગ્રેસે મંગળવારે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં વારંવાર “જૂઠુ” બોલી રહ્યા છે અને પોતાની “નિષ્ફળતા” છુપાવવા માટે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું નામ લઈ રહ્યા છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ દાવો કર્યો હતો કે આજે દેશનું બંધારણ કોંગ્રેસને કારણે છે, એક સમયે માત્ર બે સાંસદો વાળો પક્ષ આજે સત્તા સુધી પહોંચ્યો છે.
સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે, માનનીય મોદીજી, આઝાદીના 75માં વર્ષમાં માત્ર જુઠ્ઠાણું-દ્વેષ-અહંકાર-પ્રચાર અને મૂડીવાદીઓનો ‘અમૃત કાળ’ ચાલી રહ્યો છે. યુવાનો, ખેડૂતો, ગૃહિણીઓ, ગરીબો, નાના દુકાનદારો અને વેપારીઓ માટે “રાહુ કાલ” ચાલે છે.
આ પણ વાંચોઃ
PM Narendra Modi In Rajya Sabha: શું છે તંદૂર કાંડ, જેના વિશે પીએમ મોદીએ કહ્યું- ‘કોંગ્રેસ ન હોત તો દીકરીઓને તંદૂરમાં ફેંકવાની ઘટના ન બની હોત’
આ પણ વાંચોઃ