AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi In Rajya Sabha: શું છે તંદૂર કાંડ, જેના વિશે પીએમ મોદીએ કહ્યું- ‘કોંગ્રેસ ન હોત તો દીકરીઓને તંદૂરમાં ફેંકવાની ઘટના ન બની હોત’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં પોતાના ભાષણમાં તંદૂર ઘટનાનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે જો કોંગ્રેસ ન હોત તો આવું ન થાત. આ સાથે જ તેમણે તંદૂર કેસ માટે (Tandoor Murder Case) કોંગ્રેસને પણ જવાબદાર ગણાવી હતી અને કહ્યું હતું કે જો કોંગ્રેસ ન હોત તો દીકરીઓને તંદૂરમાં ફેંકવાની ઘટના બની ન હોત.

PM Narendra Modi In Rajya Sabha: શું છે તંદૂર કાંડ, જેના વિશે પીએમ મોદીએ કહ્યું- 'કોંગ્રેસ ન હોત તો દીકરીઓને તંદૂરમાં ફેંકવાની ઘટના ન બની હોત'
PM Narendra Modi In Rajya Sabha
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 4:20 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં (PM Narendra Modi In Rajya Sabha) આપેલા ભાષણમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. રાજ્યસભામાં પીએમ મોદીએ (Narendra Modi Speech) કહ્યું કે ભારતમાં સદીઓથી લોકશાહી અને ચર્ચા ચાલી રહી છે અને કોંગ્રેસની સમસ્યા એ છે કે તેમણે પરિવારવાદની સામે કશું જ વિચાર્યું નથી. આ સાથે જ તેમણે તંદૂર કેસ મામલે (Tandoor Murder Case) કોંગ્રેસને પણ જવાબદાર ગણાવી હતી અને કહ્યું હતું કે જો કોંગ્રેસ ન હોત તો દીકરીઓને તંદૂરમાં ફેંકવાની ઘટના બની ન હોત. એટલું જ નહીં દેશની અનેક સમસ્યાઓ માટે તેમણે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી.

પીએમ મોદી તરફથી તંદૂર ઘટનાના ઉલ્લેખ પર સવાલ એ છે કે આ તંદૂર કાંડ શું છે અને કોંગ્રેસ આ ઘટનાને લઈને આક્ષેપોના દાયરામાં કેમ આવી રહી છે. આવી સ્થિતિમાં અમે તમને તંદૂર કાંડ અને મંગળવારે પીએમ મોદીએ કોંગ્રેસ પર અન્ય કયા-કયા આરોપો લગાવ્યા છે તે વિશે જણાવી રહ્યા છીએ.

PM મોદીએ કોંગ્રેસ પર કર્યા આક્ષેપો

પીએમ મોદીએ કહ્યું, ‘સંસદમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ ન હોત તો શું થાત, હું જવાબ આપું છું. આ માત્ર મહાત્મા ગાંધીની ઈચ્છા હતી. જો તેમની ઈચ્છા મુજબ કોંગ્રેસ ન હોત તો આજે લોકશાહી પરિવારવાદથી મુક્ત હોત. જો કોંગ્રેસ ન હોત તો ઈમરજન્સીનું કલંક ન લાગતું. જો કોંગ્રેસ ન હોત તો શીખોનો નરસંહાર થયો ન હોત. પંજાબ વર્ષો સુધી આતંકવાદની આગમાં ન બળતું હોત, કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડવું ન પડ્યું હોત. જો કોંગ્રેસ ન હોત તો દીકરીઓને તંદુરમાં ફેંકવાની ઘટના ન બની હોત. આ ઉપરાંત પંજાબમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ, પ્રાદેશિકવાદ, આતંકવાદ માટે પણ કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

તંદૂર કાંડ શું છે?

2 જુલાઈ 1995ના રોજ સુશીલ શર્મા નામના વ્યક્તિએ તેની પત્ની નૈના સાહનીની ગોળી મારીને હત્યા કરી હતી. આ પછી સુશીલે શર્મા તેની પત્નીને તેની હોટલમાં લઈ ગયો. જ્યાં તેણે પત્નીને તંદૂરમાં માખણ નાખીને સળગાવવાનો પ્રયાસ કર્યો. અહેવાલો અનુસાર જ્યારે મોડી રાત્રે રેસ્ટોરન્ટ ખાલી થઈ ગઈ, ત્યારે તેને તંદૂરમાં સળગાવા લાગ્યો. આ પછી જ્યારે રેસ્ટોરન્ટની બહાર ફૂટપાથ પર શાકભાજી વેચતી એક મહિલાએ આગની જ્વાળાઓ જોઈ ત્યારે તેને લાગ્યું કે રેસ્ટોરન્ટમાં આગ લાગી છે અને તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું. મહિલાની બૂમો સાંભળીને દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ નઝીર ત્યાં પહોંચ્યો.

આગ જોવા માટે રેસ્ટોરન્ટ તરફ જતાં જ તેણે સુશીલેને જોયો અને આ રીતે તેનો ગુનો દુનિયાની સામે આવ્યો. આ દેશનો સૌથી ચર્ચિત મામલો માનવામાં આવે છે. જેમાં એક મહિલાને તંદૂરમાં સળગાવી દેવામાં આવી હતી. આ પછી વર્ષ 2000માં ટ્રાયલ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી. જે હાઈકોર્ટે ચાલુ રાખી હતી. જો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને બદલીને શર્માને રાહત આપી અને સજાને આજીવન કેદમાં ફેરવી દીધી. આ પછી તેને 2015માં પેરોલ પર છોડવામાં આવ્યો હતો અને 2018માં સજા પૂર્ણ થતાં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં સુનીલ શર્મા 23 વર્ષ જેલમાં રહ્યા હતા.

હત્યા કેસને કોંગ્રેસ સાથે કેમ જોડવામાં આવે છે

ત્યારે સવાલ એ છે કે આ હત્યા કેસને કોંગ્રેસ સાથે કેમ જોડવામાં આવે છે. તેનું કારણ એ છે કે સુનીલ શર્મા કોંગ્રેસના નેતા હતા. દિલ્હી પ્રદેશ યુવા કોંગ્રેસના અધ્યક્ષ સુશિલ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ સિવાય નૈના પણ કોંગ્રેસની કાર્યકર હતી. જેની સાથે સુશીલે લગ્ન કર્યા હતા. પીએમ મોદી પહેલાં પણ ઘણા નેતાઓએ કોંગ્રેસ પર તંદૂર ઘટના અંગે આરોપ લગાવતા રહે છે.

આ પણ વાંચો: PM Modi Speech In Parliament: લોકસભામાં પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસે કોરોનાના સમયમાં તમામ હદો વટાવી

આ પણ વાંચો: PM Modi Ramanuja statue Inauguration Highlights: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સ્ટેચ્યુ ઑફ ઇક્વાલિટી’નું ઉદ્ઘાટન કર્યું, રામાનુજાચાર્યની પ્રતિમા સમાનતાનો સંદેશ આપે

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">