PM મોદીના અરુણાચલ પ્રવાસ પર ચીનનું વાહિયાત નિવેદન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ, જાણો

|

Mar 12, 2024 | 1:31 PM

પીએમ મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત પર ચીનના નિવેદન પર ભારતે પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. ચીનના વિદેશ મંત્રાલયે આ અંગે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હતો

PM મોદીના અરુણાચલ પ્રવાસ પર ચીનનું વાહિયાત નિવેદન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ, જાણો

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે ચીને ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે આ અંગે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હતો અને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેનબિને કહ્યું હતું કે ચીની સરકારે ક્યારેય અરુણાચલ પ્રદેશને ભારતના ભાગ તરીકે માન્યતા આપી નથી.

આ સિવાય ચીનના MFA દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાનનું આ પગલું બંને દેશો વચ્ચેના સરહદ વિવાદને વધુ જટિલ બનાવશે. હવે ચીનના આ વલણ પર ભારતીય વિદેશ મંત્રાલયે પોતાની પ્રતિક્રિયા આપી છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

“અરુણાચલ પ્રદેશ એ ભારતનો અભિન્ન અંગ છે”

વડા પ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત પર ચાઇના MFA પ્રવક્તાની ટિપ્પણીઓ અંગેના મીડિયાના પ્રશ્નોના જવાબમાં સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે વડા પ્રધાનની અરુણાચલ પ્રદેશની મુલાકાત અંગે ચાઇના MFAની ટિપ્પણીઓને નકારી કાઢીએ છીએ. ભારતીય નેતાઓ સમયાંતરે અરુણાચલ પ્રદેશની મુલાકાત લે છે, જેમ તેઓ ભારતના અન્ય રાજ્યોની મુલાકાત લે છે.

 

 

વધુમાં જણાવ્યું કે, આવી મુલાકાતો કે ભારતના વિકાસલક્ષી પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવવો યોગ્ય નથી. તદુપરાંત, આવી દલીલો એ વાસ્તવિકતાને બદલી શકશે નહીં કે અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. ચીનને આ અંગે ઘણી વખત જાણ કરવામાં આવી છે.

13 હજાર ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવી છે સેલા ટનલ

PM મોદીએ શનિવારે 9 માર્ચે સેલા ટનલ દેશને સમર્પિત કરી હતી. આ ટનલ 12 હજાર ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવી છે. એકવાર તે કાર્યરત થઈ ગયા પછી, તવાંગને દરેક સિઝનમાં કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત, તેના કમિશનિંગ સાથે, સેના સરહદી વિસ્તારોમાં સારી આવજાવ કરી શકશે.

સેલા ટનલ લગભગ 825 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તવાંગ વિસ્તાર 1962ના ચીન-ભારત યુદ્ધના પડછાયાથી ઘેરાયેલો છે, સેલા ટનલ શરૂ થયા બાદ તે LAC પર ભારતીય સેનાને ઝડપથી શસ્ત્રો પહોંચાડવામાં મદદ કરશે.

આ પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેના 85 હજાર કરોડ રુપિયાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યુ, ભારતીય રેલની કાયાકલ્પની આપી ગેરંટી

Next Article